T20 વર્લ્ડ કપમાં વિરાટ-રોહિત X-Factor રહેશે

T20 વર્લ્ડ કપમાં વિરાટ-રોહિત X-Factor રહેશે

ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં પોતાના અભિયાનની શરૂઆત 23 ઓક્ટોબરે પાકિસ્તાન સામે કરશે. ભારતને સુપર-12માં પાકિસ્તાન ઉપરાંત ચાર અન્ય ટીમ સામે પણ રમવાનું છે. આજે આ સ્ટોરીમાં આપણે જાણીશું કે આપણી ટીમના મેચ ક્યા-ક્યા ગ્રાઉન્ડ પર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ઓક્ટોબરે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં ખરાખરીનો જંગ જોવા મળશે. આ ગ્રાઉન્ડમાં ભારતનો વન-ડે અને T20 ઈન્ટરનેશનલમાં શું રેકોર્ડ છે, તે તમે નીચે આપેલા ગ્રાફિક્સમાં જોઈ શકો છો. ભારતે મેલબોર્નમાં પાકિસ્તાન સામે એકપણ T20 મેચ રમી નથી, પરંતુ વન-ડેમાં આ ગ્રાઉન્ડ પર પાકિસ્તાન ટીમની સામે આપણી ટીમનો 100% સક્સેસ રેટ છે.

આ ગ્રાઉન્ડમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વન-ડેમાં બે મુકાબલા થયેલા છે. જેમાં બન્ને વન-ડેમાં ભારતનો વિજય થયો છે. આ બન્ને મેચ 1985માં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઑફ ક્રિકેટની અંડરમાં રમાઈ ગઈ હતી. પહેલી મેચમાં ભારતે 6 વિકેટે જીત મેળવી હતી. આ પછી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 8 વિકેટે હરાવ્યું હતું.

ભારતે અહીં ચાર T20 ઈન્ટરનેશનલ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમી છે. જેમાં બેમાં જીત મળી છે, તો એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. અને એક મુકાબલો અનિર્ણિત રહી હતી.

મેલબોર્નમાં T20 ઈન્ટરનેશનલમાં ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલીએ બનાવ્યા છે. તેણે આ ગ્રાઉન્ડમાં ત્રણ મેચમાં 1 હાફ સેન્ચુરીની મદદથી 90 રન બનાવ્યા છે. રોહિત શર્માએ ચાર મેચમાં 68 રન, જ્યારે દિનેશ કાર્તિકે બે મેચમાં 8 રન બનાવ્યા છે.

આ ત્રણ સિવાય ભારતની હાલની ટીમનો કોઈ પણ સભ્ય અહીં એકપણ T20 મેચ રમ્યો નથી. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજાએ આ ગ્રાઉન્ડમાં બે-બે મેચમાં 3-3 વિકેટ ઝડપી છે. ત્યારે આ બન્ને પ્લેયર્સ ઈજા પહોંચવાના કારણે આ વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow