T20, વનડે અને ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનું એલાન

T20, વનડે અને ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનું એલાન

T20 વર્લ્ડ કપ 2022 બાદ ટીમ ઇન્ડિયા ન્યૂઝીલેન્ડના પ્રવાસે જશે. સોમવારે(31 ઓક્ટોબર)એ BCCI દ્વારા આ પ્રવાસ માટે ટીમનું એલાન કરવામાં આવ્યું છે. ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ 3 T20 અને ત્રણ વનડે મેચ રમાશે. આ સીરીઝ માટે ટીમ ઇન્ડિયાના સીનિયર પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે, જ્યારે T20 ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં આપવામાં આવી છે. વનડે ટીમની કેપ્ટનશીપ શિખર ધવનના હાથમાં રહેશે.

હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર), શુભમન ગિલ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, ઉમરાન મલિક.

શિખર ધવન (કેપ્ટન), ઋષભ પંત (વાઇસ કેપ્ટન & વિકેટકીપર), શુભમન ગિલ, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, સંજુ સેમસન (વિકેટકીપર), વોશિંગટન સુંદર, શાર્દુલ ઠાકુર, શાહબાઝ અહમદ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, દીપક ચહર, કુલદીપ સેન, ઉમરાન મલિક.

ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા, કે.એલ રાહુલ, દિનેશ કાર્તિક, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી જેવા મોટા પ્લેયર્સને આરામ આપવામાં આવ્યો છે. એટલે આ તમામ પ્લેયર T20 વર્લ્ડકપ 2022 બાદ પોતાના ઘરે જશે. ભારતીય ટીમ હજુ ઓસ્ટ્રેલિયામાં છે અને T20 વર્લ્ડ કપ રમી રહી છે, તેવામાં ન્યૂઝિલેન્ડ ઓસ્ટ્રેલિયાની નજીક જ છે. એટલા માટે ટીમના બાકી ખેલાડીઓને આ પ્રવાસ બાદ ઘર પરત ફરવાનું રહેશે. નવેમ્બર બાદ ડિસેમ્બરમાં ભારતીય ટીમ બાંગ્લાદેશના પ્રવાસે જશે.

ઉત્તરપ્રદેશના ઑલરાઉન્ડર યશ દયાલને પહેલી વખત ટીમ ઇન્ડિયામાં મોકો આપવામાં આવ્યો છે. તેઓ બાંગ્લાદેશમાં વનડે સીરીઝ રમશે. યશ લેફ્ટ આર્મ પેસર અને રાઇડ હેન્ડ બેટર છે. મધ્યપ્રદેશના રજત પાટીદારને પણ આ ફૉર્મેટમાં જગ્યા આપવામાં આવી છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow