સવારે પથારીમાંથી ઊભા થવામાં થાય છે આળસ?

સવારે પથારીમાંથી ઊભા થવામાં થાય છે આળસ?

આખી રાત ઘસઘસાટ ઊંઘ કર્યા બાદ પણ સવારે પથારી છોડવાનું મન નથી થતું. જો તમને પણ આ પ્રકારની સમસ્યા અનેક રોગોના સંકેત હોઈ શકે છે. રાતે બરાબર ઊંઘ આવ્યા બાદ પણ સવારે જાગવા પર શરીરને કેમ સારું નથી લાગતું. ઘણા લોકોને સવારે થાક, નબળાઈનો અનુભવ થાય છે તો ઘણા લોકો ઉદાસ રહે છે. ઘણા લોકોને એસિડિટીની સમસ્યા થાય છે તો ઘણા લોકોને એડીમાં દુખાવો અને શરીરમાં સોજો આવી જાય છે. ક્યારેક-ક્યારેક જો આ સમસ્યા હોય તો સામાન્ય છે, પરંતુ જો લાંબો સમય સુધી આ સમસ્યા રહે તો કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. ભૂતપૂર્વ મેડિકલ ઈન્ચાર્જ, યુનાની ડૉ. સુબાસ રાય જણાવે છે કે શા માટે સવારે પથારીમાંથી બહાર નીકળવામાં આળસ આવે છે.

સાંધામાં દુખાવો અને સોજો

ઘણા લોકોને સવાર-સવારમાં સાંધામાં દુખાવો અને સોજો, બેલેન્સ રાખવામાં અને હલનચલનમાં તકલીફ થવી એ આર્થરાઈટિસનાં લક્ષણ છે. વિટામિન ડી અને કેલ્શિયમ ઓછા હોય તોપણ પણ સાંધાને લગતી સમસ્યા થઇ શકે છે. બ્રિટિશ જનરલ ઓફ સ્પોર્ટ્સ મેડિસિન અનુસાર, મોડી રાત સુધી ગેજેટ્સનો ઉપયોગ, બરાબર ઊંઘ ન થવાને કારણે અને કસરત ન કરવાથી સાંધાઓ પર ખરાબ અસર કરે છે.

વજનને કંટ્રોલ કરો

કસરત કરો

હૂંફાળા પાણીથી સ્નાન કરો

પથારીમાં જ સ્ટ્રેચિંગ કરો

જે વસ્તુથી સોજો આવે છે એ ન ખાઓ

કેલ્શિયમ, વિટામિન સી અને ડીથી ભરપૂર ડાયટ લો

જો સાંધામાં દુખાવો હોય તો ડૉક્ટર યુરિક એસિડના ટેસ્ટ કરાવો.

તડકામાં થોડીવાર બેસવાથી સેરોટોનિનનું લેવલ વધે છે અને રાત્રે ઊંઘ સારી આવે છે.      
                                                                          માથાનો દુખાવો

જો સવારે જાગતાં જ માથાનો દુખાવો અને ચક્કર આવે છે તો હળવીથી ગંભીર બીમારી થઇ શકે છે. જે લોકો રાત્રે વધુપડતી ચા, કોફી અથવા આલ્કોહોલ પીવે છે તેમને ડિહાઇડ્રેશન થાય છે, જેને કારણે તમે સવારે ઊઠો ત્યારે ભારે માથાનો દુખાવો અથવા ચક્કર આવવા લાગે છે. માનસિક તણાવ પણ માથાનો દુખાવોનું કારણ બની શકે છે. ગંભીર કારણો વિશે વાત કરવામાં આવે તો સવારે દરરોજ ગંભીર માથાનો દુખાવો મગજની ગાંઠની નિશાની હોઈ શકે છે. સવારના માથાનો દુખાવો અથવા ચક્કરથી સ્લીપ એપનિયા અને માઈગ્રેન થઇ શકે છે. અમેરિકા માઈગ્રેન ફાઉન્ડેશન અનુસાર, મહિલાઓ જ્યારે સવારે ઊઠે છે ત્યારે તેમને માથાનો દુખાવો વધુ થાય છે. આ સમસ્યા 40 વર્ષ પછી વધુ થાય છે.

સવારે જાગીને હૂંફાળું પાણી પીઓ

મોડી રાત સુધી મોબાઈલ અને ટીવી ન જુઓ

સાંજે પાંચ વાગ્યા બાદ ચા અને કોફી પીવાનું શક્ય હોય તો ટાળવું જોઈએ

શુગર ઇન્સ્યુલિનનું લેવલ વધારે છે

કેફીન એડ્રેનાલિનને સક્રિય કરે છે

પોષણયુક્ત નાસ્તો કરો

ઝટકા સાથે ઊભા ન થાઓ

ચહેરા પર અને શરીર પર સોજો આવવો

ચહેરા પર સોજો પ્રવાહી રિટેન્શનને કારણે થાય છે. સાંજે અથવા રાત્રે સોડિયમવાળી વસ્તુઓ ખાવાથી શરીરમાં વોટર રિટેશન વધે છે. સોડિયમના કારણે લોકોને વધુ તરસ લાગે છે, જ્યારે વધુ પાણી પેશાબ દ્વારા બહાર નીકળી શકતું નથી અન્ય જગ્યાએ ભેગું થવા લાગે છે. હેલ્થ એનસાઇક્લોપીડિયા અનુસાર, ખૂબ ઓછી અથવા વધુપડતી ઊંઘ કરવાથી પણ આ સમસ્યા વધે છે. જે લોકો વધારે દારૂ પીવે છે તેમના મોઢા પર સોજા જોવા મળે છે. આ ઉપરાંત ધૂળને કારણે એલર્જી અને ડેડસ્કિનને કારણે ચહેરા પર સોજો આવી જાય છે.

સાઇનસ અથવા હાઇપોથાઇરોડિઝમને કારણે પણ ચહેરા પર સોજો આવી શકે છે. એન્ટી-ડિપ્રેસન્ટ અને બ્લડપ્રેશર ઘટાડતી દવાઓ પણ ચહેરા પર સોજો વધારે છે. હાઈ બીપી અને કિડનીની સમસ્યા હોય તો શરીરમાં સોજો આવે છે. યુ.એસ.એ.ની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં કરાયેલા એક નવા અભ્યાસ મુજબ જે લોકો ચિંતામાં ગરકાવ હોય તે લોકોને પણ ચહેરા પર સોજો આવી શકે છે.

સોડિયમનું પ્રમાણ વધારે હોય તેવી વસ્તુઓ, જેવી કે બર્ગર, પિત્ઝા, ચિપ્સને સાંજે કે રાત્રે ન ખાવી જોઈએ.

યાદ રાખો, સૂવાના સમયના બે કલાક પહેલાં જમી લેવું જોઈએ. 6 કલાકથી ઓછી અને 8 કલાકથી વધુ ઊંઘ ન લો,

ખોટી ઊંઘને ​​કારણે પણ ચહેરા પર સોજો આવે છે. પેટ પર નહીં, તમારી પીઠના બળે સૂવો.

ઠંડા પાણીમાં ટુવાલ બોળીને તમારા ચહેરા પર લગાવો અથવા તમારા ચહેરા પર ઠંડા ટી-બેગ રાખો.

થાક અને નબળાઈ લાગવી

પૂરતી ઊંઘ લીધા પછી પણ ઘણા લોકોને સવારે થાક, સુસ્તી અને નબળાઈનો અનુભવ થાય છે. આ સિવાય જો ઊલટી, ઉબકા, શ્વાસ લેવામાં તકલીફ અને ચક્કર આવવા જેવાં લક્ષણો હોય તો હાઇપોગ્લાયસીમિયાની તપાસ કરાવવી જરૂરી છે. હાઈ બીપી અને થાઇરોઇડ વધવાને કારણે પણ થાક અને નબળાઈનો અનુભવ થાય છે.

સાંજે 5 વાગ્યા પછી ચા-કોફી ન પીવા જોઈએ.

હળવો આહાર લેવો.

ફળો અને શાકભાજી વધારે ખાવાં જોઈએ.

મોડી રાત સુધી ગેજેટ્સનો ઉપયોગ ન કરવો,

જાગતાંની સાથે જ સોશિયલ મીડિયા, ઈમેલ, ચેટથી દૂર રહેવું.

Read more

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢના ઘેડ પંથકમાં નદીઓના પાણીએ તારાજી સર્જી

જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં બુધવારે વરસેલા સાંબેલાધાર વરસાદના કારણે જૂનાગઢના ઘેડ પંથકના ગામડાઓમાં આ વર્ષે પણ જળબંબાકારની સ્થિતિ સર્જા

By Gujaratnow
પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓની ભલામણ?

રમતગમત મંત્રાલયે પદ્મ પુરસ્કારો માટે પાંચ ખેલાડીઓના નામ સૂચવ્યા છે. આ ખેલાડીઓમાંથી ચાર, મનુ ભાકર, સરબજોત સિંહ, સ્વપ્નિલ કુશલે અને અમન સેહરા

By Gujaratnow
ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

ભારતને ચૂંટણી માટે અમેરિકા તરફથી ભંડોળ મળ્યું ન હતું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું જુઠ્ઠાણું ખુલ્લું પડી ગયું છે. ફેબ્રુઆરીમાં તેમણે એમ કહીને હંગામો મચાવ્યો હતો કે અમેરિકાની સહા

By Gujaratnow