ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીમાં ભાદર નદીમાંથી યુવકની શંકાસ્પદ લાશ મળી,PM રિપોર્ટમાં હત્યાનો ઘટસ્ફોટ

ધોરાજીના વેગડી ગામે ભાદર નદીમાંથી યુવકનો મૃતદેહ મળતાં તેની લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી જેમાં ઘટસ્ફોટ થયો છે કે યુવકને તીક્ષ્ણ હથિયારના બેરહેમીથી ઘા મારવામાં આવ્યા છે અને હત્યા કરી લાશને નદીમાં ફેંકી દેવાઇ છે. જામકંડોરણા પોલીસે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

મૃતદેહ પડ્યો હોવાની જાણ થઈ
આજથી બે દિવસ પૂર્વે જામકંડોરણા ધોરાજી રોડ પર ભાદર નદીના પુલ પાસે ભાદર નદીમાં પાણીમાં પુરુષનો મૃતદેહ પડ્યો હોવાની જાણ થતાં PSI વી.એમ.ડોડીયા અને હેડકોન્સ્ટેબલ આર.જી. મેટાડિયા સહિતનો પોલીસ સ્ટાફ ત્યાં દોડી ગયો હતો અને લાશનો કબજો લઇ ફોરેન્સિક PM માટે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

લાશને ફોરેન્સિક PM માટે ખસેડવામા આવી હતી

ગળાના ભાગે ઇજા કરાઈ
જે રિપોર્ટ તેમજ પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે યુવકને ગળાના ભાગે હથિયારથી ઇજા કરવામાં આવી હોઇ મોત થયું છે. PSI ડોડીયાએ જણાવ્યું હતું મૃતકની ઉમર 35 થી 40 વર્ષની છે. તેણે ભુખરા કલરનો ચેકસ વાળો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ હતું. તેમજ ગળાના ભાગે ઊંડો કાપો પડી ગયો હતો અને જમણા કાનના ભાગે,માથાના ભાગે પણ ઇજા થઈ હતી તેમજ પેટના જમણી બાજુના પડખાના ભાગે એક હોલ પડી ગયાનું જોવામાં આવ્યુ હતું.

મૃતક યુવકની ઓળખ અધિકારીઓ માટે ચેલેન્જ
તપાસનીશ અધિકારીઓ માટે હવે આ મૃતક કોણ છે? તેની હત્યા શા માટે અને કોણે નીપજાવી એ સહિતની કડી મેળવવી પોલીસ માટે ચેલેન્જ સાબીત થઇ રહી છે. જો કે આ કિસ્સામાં યુવાનને અહીં સુધી લાવીને નદીમાં કોઇ નાખી ગયું તો કોઇએ આ ઘટના નજરે નિહાળી છે કે કેમ તે સાક્ષી મળી જાય તો નવી દિશા સાંપડી શકે. નદીમાંથી યુવાનનો મૃતદેહ મળવાની ઘટનાથી નાના એવા ગામમાં ચકચાર વ્યાપી છે.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow