માગશર મહિનાના રવિવારે સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.

માગશર મહિનાના રવિવારે સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.

24 નવેમ્બરથી માગશર મહિનો શરૂ રહ્યો છે. જે 23 ડિસેમ્બર સુધી રહેશે. પંચાંગમાં તેને માગશર મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે. શ્રીમદભાગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હું બધા મહિનામાં માગશર છું. એટલે માગશર મહિનાને વ્રત-પૂજા અને અન્ય ધાર્મિક કાર્યોમાં સૌથી સારો માનવામાં આવે છે. એટલે આ મહિનામાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનનું ખાસ પુણ્ય ફળ મળે છે.

માગશર મહિનાનો રવિવાર ખૂબ જ ખાસ હોય છે
આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજાનું પણ ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનાના દર રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થાય છે. માગશર મહિનામાં રવિવારે મીઠાનું સેવન કરવું નહીં. આવું કરવાથી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોના અશુભ ફળ ઘટી જાય છે.

ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે. ત્યાં જ, આયુર્વેદના જાણકારો પ્રમાણે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે.

જળ કેવી રીતે ચઢાવવું, કઈ વાતોનું ધ્યાન રાખવું
તાંબાના લોટામાં જળ ભરો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું. સૂર્યને ચઢાવવામાં આવતું જળ કોઈ પહોળા વાસણમાં પડે તેનું ધ્યાન રાખવું. જમીન ઉપર પડવું જોઈએ નહીં. તેના પછી થોડીવાર સૂર્ય સામે બેસીને ૐ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને પ્રણામ કરો.

ભગવાન સૂર્યને ચઢાવવામાં આવતું જળ તાંબાના કોઈ વાસણમાં એકઠું કર્યા પછી મદારના ઝાડમાં ચઢાવી દેવું. મદારમાં જળ ચઢાવી શકો નહીં તો તુલસી કે એવા છોડમાં ચઢાવો જ્યાં તે જળ કોઈના પગમાં આવે નહીં.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow