માગશર મહિનાના રવિવારે સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.

માગશર મહિનાના રવિવારે સૂર્ય પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે.

24 નવેમ્બરથી માગશર મહિનો શરૂ રહ્યો છે. જે 23 ડિસેમ્બર સુધી રહેશે. પંચાંગમાં તેને માગશર મહિનો કહેવામાં આવે છે. આ મહિનામાં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણની ખાસ પૂજા કરવાની પરંપરા છે. શ્રીમદભાગવતગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે કે હું બધા મહિનામાં માગશર છું. એટલે માગશર મહિનાને વ્રત-પૂજા અને અન્ય ધાર્મિક કાર્યોમાં સૌથી સારો માનવામાં આવે છે. એટલે આ મહિનામાં કરવામાં આવતા તીર્થ સ્નાન અને દાનનું ખાસ પુણ્ય ફળ મળે છે.

માગશર મહિનાનો રવિવાર ખૂબ જ ખાસ હોય છે
આ મહિનામાં ભગવાન સૂર્યની પૂજાનું પણ ખાસ ફળ ઉલ્લેખવામાં આવ્યું છે. ગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે કે આ મહિનાના દર રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના દોષ અને પાપ દૂર થાય છે. માગશર મહિનામાં રવિવારે મીઠાનું સેવન કરવું નહીં. આવું કરવાથી કુંડળીમાં ગ્રહ-નક્ષત્રોના અશુભ ફળ ઘટી જાય છે.

ધર્મગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે માગશર મહિનામાં સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરવું સ્વાસ્થ્ય માટે સારું હોય છે. આ મહિનામાં સૂર્યોદય સમયે સૂર્યને જળ ચઢાવવાથી દરેક પ્રકારના રોગ દૂર થવા લાગે છે અને ઉંમર પણ વધે છે. ત્યાં જ, આયુર્વેદના જાણકારો પ્રમાણે સૂર્યોદય સમયે સૂર્ય નમસ્કાર કરવાથી દરેક પ્રકારની બીમારીઓ દૂર થવા લાગે છે.

જળ કેવી રીતે ચઢાવવું, કઈ વાતોનું ધ્યાન રાખવું
તાંબાના લોટામાં જળ ભરો અને ૐ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું. સૂર્યને ચઢાવવામાં આવતું જળ કોઈ પહોળા વાસણમાં પડે તેનું ધ્યાન રાખવું. જમીન ઉપર પડવું જોઈએ નહીં. તેના પછી થોડીવાર સૂર્ય સામે બેસીને ૐ આદિત્યાય નમઃ મંત્રનો જાપ કરીને સૂર્યને પ્રણામ કરો.

ભગવાન સૂર્યને ચઢાવવામાં આવતું જળ તાંબાના કોઈ વાસણમાં એકઠું કર્યા પછી મદારના ઝાડમાં ચઢાવી દેવું. મદારમાં જળ ચઢાવી શકો નહીં તો તુલસી કે એવા છોડમાં ચઢાવો જ્યાં તે જળ કોઈના પગમાં આવે નહીં.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow