માગશરમાં સૂર્યપૂજા

માગશરમાં સૂર્યપૂજા

કારતક મહિનામાં છઠ્ઠ પૂજા કરતી મહિલાઓ માગશર અને વૈશાખ મહિનામાં પણ ભગવાન સૂર્યની પૂજા કરે છે. માગશર મહિનાની સાતમ તિથિ અને રવિવારે ઉગતા સૂર્યને જળ ચઢાવવામાં આવે છે અને આખો દિવસ વ્રત રાખીને શ્રદ્ધા પ્રમાણે જરૂરિયાતમંદ લોકોને દાન આપે છે. પુરાણોમાં જણાવવામાં આવ્યું કે માગશર મહિનાના દેવતા ભગવાન વિષ્ણુ છે અને સૂર્ય તેમનું જ એક સ્વરૂપ છે. એટલે તેમને સૂર્ય નારાયણ કહેવામાં આવે છે. આજે સાતમ તિથિ છે હવે 4 ડિસેમ્બરે રવિવાર હોવાથી આ દિવસે સૂર્ય પૂજાનું મહત્ત્વ રહેશે.

માગશર મહિનામાં સાતમ અને રવિવારે સૂર્ય પૂજાનું તેટલું જ ફળ મળે છે જેટલું કારતક મહિનાની છઠ્ઠ પૂજા કરવાથી મળે છે. માગશર મહિનામાં પવિત્ર નદી કે કોઈ તીર્થમાં સ્નાન કરીને ઉગતા સૂર્યને જળ ચઢાવવું જોઈએ. જળ ચઢાવતી સમયે સૂર્યના મિત્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. ૐ મિત્રાય નમઃ મંત્ર બોલીને અર્ઘ્ય આપવું જોઈએ.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow