દેશમાં સરવે શરૂ કર્યો

દેશમાં સરવે શરૂ કર્યો

માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી (માકપા)એ ઘટતા વોટ શેર વચ્ચે આંતરિક મૂલ્યાંકન અભિયાન શરૂ કર્યું છે. લોકસભા ચૂંટણી પહેલાં માકપાની કેન્દ્રીય સમિતિએ દેશનાં દરેક રાજ્યોમાં પોતાના નેતા અને પાર્ટીના પદાધિકારીઓને એક પ્રશ્નાવલી મોકલી છે, જેમાં સાત સવાલ છે. તેમાં નેતાઓને પૂછાયું છે કે શું તેઓ ધર્મ-કર્મમાં માને છે, મંદિર કેટલી વાર જાય છે?

કોલકાતામાં માકપા મુખ્યાલય અલીમુદ્દીન સ્ટ્રીટથી તમામ નેતાઓ અને જિલ્લા પદાધિકારીઓને મોકલાયેલી પ્રશ્નાવલીમાં ધર્મથી સંબંધિત સવાલોની સાથે અંગત જીવનમાં કરકસર વિશે પણ પૂછાયું છે. પાર્ટીના પ્રદેશ સચિવ મોહમ્મદ સલીમે ભાસ્કર સાથેની વાતચીતમાં આ અભિયાનની વાત સ્વીકારી છે, પરંતુ તેમના મતે તે પાર્ટીની અંદરની વાત છે. દર પાંચ અથવા દસ વર્ષમાં પાર્ટી આવાં અભિયાન ચલાવે છે. તેના આધાર પર પાર્ટી ભાવિ રણનીતિ તૈયાર કરે છે. આ સવાલોના જવાબ સીલબંધ કવરમાં પાર્ટીના બ્યૂરોના સચિવને જમા કરાવવાના રહેશે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow