તાજમહેલની 500 મીટરની અંદરની દુકાનો ન હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વેપારીઓને રાહત

તાજમહેલની 500 મીટરની અંદરની દુકાનો ન હટાવવા સુપ્રીમ કોર્ટનો આદેશ, વેપારીઓને રાહત

સુપ્રીમ કોર્ટે તાજમહેલના 500 મીટરની અંદર વ્યાપારી પ્રવૃત્તિઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. સર્વોચ્ચ અદાલતે બુધવારે (નવેમ્બર 9) તાજમહેલની નજીક વ્યાપારી પ્રવૃત્તિઓની પર્યાવરણ પરની અસરનો કોઈ સર્વે ન કરવા બદલ આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીને ફટકાર લગાવી અને તેને દુઃખદ પરિસ્થિતિ ગણાવી.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે તેણે સુપર એડમિનિસ્ટ્રેટરની જેમ કામ કરવું પડશે, કારણ કે ADA તેની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યું છે. આ સાથે કોર્ટે સદીઓ જૂના સ્મારકની બાઉન્ડ્રી વોલની બહાર તમામ કોમર્શિયલ પ્રવૃતિઓને રોકવા માટે આપવામાં આવેલી નોટિસ પર સ્ટે આપ્યો છે.

કોર્ટમાં રીપોર્ટ સબમિટ કરવા કહ્યું
ન્યાયાધીશો સંજય કિશન કૌલ અને અભય એસ ઓકાની બેંચે તાજમહેલની બાઉન્ડ્રી વોલના 500 મીટરની અંદર ખાસ કરીને વ્યાપારી પ્રવૃત્તિના તાજા સર્વેક્ષણના આધારે નેશનલ એન્વાયર્નમેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NEERI) દ્વારા રિપોર્ટ સબમિટ કરવાનો આદેશ આપ્યો હતો . એન્વાયર્નમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (EIA) ના આધારે અને વહેલી તકે કોર્ટમાં તેને સૂચવતો રિપોર્ટ સબમિટ કરવા.

દુકાન માલિકોના વકીલે શું કહ્યું?
દુકાન માલિકો તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું કે, "તેઓ દાયકાઓથી તેમનો વ્યવસાય કરે છે અને આ વિસ્તારમાં રહેઠાણ ધરાવે છે. હવે આગ્રા ડેવલપમેન્ટ ઓથોરિટીએ તેમને બંધ કરવાની નોટિસ આપી છે. આ 2,000 સંસ્થાઓ છેલ્લા 40 વર્ષથી ચાલી રહી છે," રોહતગીએ જણાવ્યું હતું કે. વર્ષોથી કોઈ મુકદ્દમામાં નથી અને પ્રતિબંધિત હોય તેવી કોઈપણ વ્યાપારી પ્રવૃત્તિમાં ક્યારેય સામેલ નથી."

આ આદેશ 1996 થી અસ્તિત્વમાં છે
ન્યાયમૂર્તિ એડીએન રાવે કહ્યું, "તાજમહેલના 500 મીટરની અંદર વ્યાપારી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકતો આદેશ 1996 થી અસ્તિત્વમાં છે અને વારંવાર પુનરાવર્તિત કરવામાં આવ્યો છે". દરમિયાન, ચાંદની રાતોમાં તાજની મુલાકાત લેવા ઈચ્છતા પ્રવાસીઓ માટે, કોર્ટે તેના 2004ના આદેશમાં ફેરફાર કર્યો હતો અને સત્તાવાળાઓને 24 કલાક અગાઉ ટિકિટ આપવાને બદલે ઓનલાઈન ટિકિટિંગ સુવિધા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow