અદાણી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અમદાવાદની યુવતીનો આપઘાત

અદાણી મેડિકલ કોલેજની હોસ્ટેલમાં અમદાવાદની યુવતીનો આપઘાત

અદાણી મેડિકલ કોલેજમાં એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી અમદાવાદની યુવતીએ સવારે પોતાના રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી ગઇ છે. ભણવામાં હોશિયાર એવી આ યુવતીએ અચાનક ભરેલા આત્મઘાતી પગલાંથી સૌ કોઈ અચંબિત છે. બનાવની જાણ થતા અમદાવાદથી પરિવાર ભુજમાં દોડી આવ્યો હતો હૈયાફાટ રુદન વચ્ચે બનાવ પાછળનું રહસ્ય હોસ્ટેલની ચાર દીવાલોમાં કેદ થઈ ગયું છે.

મૂળ અમદાવાદના નરોડાની અને હાલે જી. કે. જનરલ હોસ્પિટલમાં આવેલ અદાણી મેડિકલ કોલેજની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને એમબીબીએસના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 21 વર્ષીય દેવાંગી મયુરભાઈ પટેલે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બુધવારે સવારે 7.30 કલાકે તે રૂમમાં હતી જેથી 8 થી 11 વાગ્યાના અરસામાં બનાવ બન્યો હોવાનું માનવામાં આવે છે. કોઈ અગમ્ય કારણોસર દેવાંગીએ રૂમમાં પંખા પર દુપટો બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.

સૂત્રોએ જણાવ્યું કે, હતભાગીને માનસિક તણાવ, ચિંતા જેવા લક્ષણો જોવા મળતાં સાયકિયાટ્રીસને બતાવ્યા બાદ તે દવા લેતી હતી. પ્રાથમિક તપાસમાં તણાવમાં આવીને પગલું ભર્યાનું માનવામાં આવે છે પણ બનાવે રહસ્યો સર્જ્યા છે. દિવસભર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પણ બહાર નીકળ્યા ન હતા. બનાવ બાબતે કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં જાણ કરવામાં આવી હતી. મેનેજમેન્ટ દ્વારા ઘટના દુ:ખદ હોવાનું જણાવાયું હતું.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow