શુગર-ફ્રી સ્વીટનર્સ ખાંડથી અનેક ગણા વધુ ગળ્યાં હોય છે

શુગર-ફ્રી સ્વીટનર્સ ખાંડથી અનેક ગણા વધુ ગળ્યાં હોય છે

વધારે ગળ્યું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. એવામાં લોકો અનેકવાર શુગર-ફ્રી સ્વીટનર્સ અપનાવવા લાગે છે. 2021માં રિસર્ચરોએ હોંગકોંગમાં વેચાતી ખાવાની વસ્તુઓની તપાસ કરી તો જાણ થઇ કે ચ્યુઈંગ ગમ અને કોલ્ડડ્રિંક્સ ઉપરાંત સલાડ, બ્રેડ, ઈન્સ્ટન્ટ નૂડલ્સ અને અનેક ક્રિસ્પમાં પણ સ્વીટનર્સ ઉપલબ્ધ હોય છે. આ આપણા ભોજનનો સામાન્ય ભાગ બની ગઈ છે.

અમેરિકામાં વપરાતું એક સ્વીટનર એડવાન્ટેમ ખાંડ કરતાં 20 હજાર ગણું ગળ્યું હોય છે. ખાંડ અોછી લેવા કે ન ખાવા પાછળ 3 સૌથી મોટા કારણ છે વજન વધવું, ડાયાબિટીસ અને ટૂથ ડિકેની સમસ્યા. ઈન્ટરનેશનલ સ્વીટનર્સ એસોસિએશનની એક વેબસાઈટ અનુસાર ડાયાબિટીસના પેશન્ટ સ્વીટનર્સનો ઉપયોગ કરે છે કેમ કે એવું મનાય છે કે તેની બ્લડ શુગર લેવલ પર કોઇ અસર થતી નથી.

વજન ઘટાડવા માટે લોકો શુગર-ફ્રી સ્વીટનર્સ લે છે કેમ કે તેમાં કેલોરી નથી હોતી. જ્યારે ખાંડથી વિપરિત તેનાથી ટૂથ ડિકેની તકલીફ પણ થતી નથી. જોકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના રિપોર્ટ અનુસાર વધારે સ્વીટનર્સ ટાઈપ-2 ડાયાબિટીસ અને હૃદય સંબંધિત બીમારીના કારણ બની શકે છે. સાથે જ વજન પણ વધે છે. જ્યારે સ્ટેવિયા નામના સ્વીટનરને રોજ ખાવાથી બાળકોના દાંત ખરાબ થવાનું જોખમ રહે છે. જે બાળકો રોજ 250 મિ.લી.થી વધુ શુગર ફ્રી સ્વીટનરવાળા ડ્રિંક્સ પીએ છે તેમનામાં દાંતમાં દુખાવાની શક્યતા અન્ય બાળકોની વધુ રહે છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow