દેશમાંથી ખાંડની નિકાસ 16.92 લાખ ટનને આંબી

દેશમાંથી ખાંડની નિકાસ 16.92 લાખ ટનને આંબી

ભારતે માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન કુલ 16.92 લાખ ટન ખાંડની નિકાસ કરી છે, જેમાંથી એકલા ચીન ખાતે 59,596 ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી.  

ચીન ઉપરાંત ભારતે બાંગ્લાદેશમાં 1.47 લાખ ટન, શ્રીલંકામાં 82,462 ટનની (ઓક્ટોબર-જાન્યુઆરી) નિકાસ કરી છે તેવું ઓલ ઇન્ડિયા સુગર ટ્રેડ એસોસિએશને (AISTA) જણાવ્યું હતું. ઓક્ટોબરથી સપ્ટેમ્બર દરમિયાન ખાંડનું માર્કેટિંગ વર્ષ ચાલે છે.  

સરકારે માર્કેટિંગ વર્ષ 2022-23ના મે મહિના સુધીમાં 6 મિલિયન ટન સુધીની નિકાસને મંજૂરી આપી છે. મિલોએ 1 ઓક્ટોબર, 2022 થી 4 જાન્યુઆરી, 2023 સુધીમાં કુલ 16,92,751 ટન ખાંડની નિકાસ કરી છે. જ્યારે 3.47 લાખ ટન ખાંડ લોડિંગ હેઠળ છે, જ્યારે બાકીને 2.54 લાખ ટન ખાંડને રિફાઇનરીમાં મોકલવામાં આવી છે. જેની આગામી સમય દરમિયાન નિકાસ થાય તેવી સંભાવના છે.

અત્યાર સુધી થયેલી કુલ નિકાસમાં સૌથી વધુ નિકાસ સોમાલિયા ખાતે (1.70 લાખ ટન) કરવામાં આવી છે. ત્યારબાદ આ યાદીમાં UAE (1.69 લાખ ટન), દિજીબાટી (1.50 લાખ ટન) અને સુદાન (1.37 લાખ ટન) નિકાસ કરવામાં આવી હતી.  

ભારતે ચાલુ માર્કેટિંગ વર્ષના 4 જાન્યુઆરી સુધીમાં મલેશિયા, ઇન્ડોનેશિયા તેમજ સાઉદી અરેબિયા ખાતે અનુક્રમે 1.36 લાખ ટન, 1.18 લાખ ટન તેમજ 1.08 લાખ ટનની નિકાસ કરી છે.  

માર્કેટિંગ વર્ષ 2021-22 દરમિયાન ભારતમાંથી કુલ 11.2 મિલિયન ટન ખાંડની નિકાસ કરવામાં આવી હતી. માર્કેટિંગ વર્ષ 2022-23 દરમિયાન ખાંડનું કુલ અંદાજીત ઉત્પાદન 35.8 મિલિયન ટનની આસપાસ રહેવાની ધારણા AISTAએ વ્યક્ત કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow