વીરનગરના વિદ્યાર્થીઓએ આદર્યો સેવાયજ્ઞ ખારચિયા ગામને બનાવી દીધું પ્લાસ્ટિક મુક્ત

વીરનગરના વિદ્યાર્થીઓએ આદર્યો સેવાયજ્ઞ ખારચિયા ગામને બનાવી દીધું પ્લાસ્ટિક મુક્ત

જસદણના વીરનગર ગામે ચાલતી વી.પી.હાઈસ્કૂલમાં NSS (રાષ્ટ્રીય સેવા યોજના) વિભાગ દ્વારા છેલ્લા 4 વર્ષથી દત્તક લીધેલા ખારચિયા (હનુમાન) ગામ ખાતે ખાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના મહંત પ્રકાશગીરી બાપુ દ્વારા આ શિબિરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામના પ્રથમ નાગરિક મગનભાઈ ચોવટીયા, શાળાના આચાર્ય ભુવાભાઈ તથા આગેવાનો હાજર રહ્યા હતા. કચરા મુક્ત ગામનું ગોંદર (ગામનું આંગણુ-પાદર) પ્રોજેક્ટની રચના કરી આ નિમિત્તે 112 બોરા પ્લાસ્ટિક તથા કચરો ભેગો કરી તેને બાળી નાશ કરવામાં આવ્યો હતો.

સ્મશાનમાં કરાયું વૃક્ષારોપણ
પાદરમાં રહેલા ભવ્ય “સ્મશાન ગૃહ”માં જઈને ઝાડના ખામણા કરી પાણી પાવામાં આવ્યું હતું. સાથોસાથ ઝાડને ગેરૂ ચુનાથી રંગવામાં આવ્યા હતા અને સમગ્ર સ્મશાનને કચરા મુક્ત કરી “એક બાળ એક વૃક્ષ” ની થીમ સાથે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ તકે બેટી બચાવો, બેટી પઢાવોના સાર્થકને સરિતાર્થ કરી નાની નાટિકા કરાવવામાં આવી હતી. જેમાં લોક જાગૃતિ માટે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ શિબિરમાં યોગ, ધ્યાન, કસરત, પ્રાર્થના, ભજન, લોકગીત, એન.એસ.એસ. ગીત, પ્રભાતફેરી વગેરે કાર્ય કરવામાં આવ્યા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow