વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટીની ડિસિપ્લિનરી કમિટી સમક્ષ આજે વિદ્યાર્થીઓ હાજર ન થયા

વડોદરાની MS યુનિવર્સિટની બોય્સ હોસ્ટેલના MM હોલમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ થયા બાદ ત્રણેય વિદ્યાર્થીઓને કમિટી સમક્ષ હાજર થવાનો પત્ર લખવામાં આવ્યો હતો. જો કે, આજે એકપણ વિદ્યાર્થી ડિસિપ્લિનરી કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી હવે વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટે જાહેર થવા માટે નોટિસ આપવામાં આવશે.

દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ થયો હતો
વડોદરાની MS યુનિવર્સિટીની બોય્સ હોસ્ટેલના MM હોલમાં 15 ઓગસ્ટે દારૂની પાર્ટી કરતા 3 વિદ્યાર્થીઓનો વીડિયો વાઇરલ થયો હતો. ત્યારબાદ કમિટીએ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી હતી અને આજે ચીફ વોર્ડનની ઓફિસ ખાતે કમિટીની મિટીંગ મળી હતી. જેમાં તમામ વિદ્યાર્થીઓને હાજર થવા માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, એકપણ વિદ્યાર્થી આજે કમિટી સમક્ષ હાજર થયો નહોતો. જેથી, કમિટી સમક્ષ હાજર થવા માટે ફરીથી તારીખ નક્કી કરવામાં આવી હતી.

એમ.એસ. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ મામલે ડિસિપ્લિનરી કમિટીના કન્વિનર હરિ કટારીયાએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓને આજે કમિટી સમક્ષ ઉપસ્થિત રહેવા માટેનો પત્ર લખ્યો હતો. જો કે, આજે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા નથી. જેથી આપણે કોઇ નિર્ણય ન કરી શકીએ. જેથી ફરી વિદ્યાર્થીઓને 21 ઓગસ્ટના બોલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ સામે હજી સુધી કોઇ એક્શન લેવામાં આવ્યા નથી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow