STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

STની 151 નવી બસનું આજે લોકાર્પણ, સૌરાષ્ટ્રને 44 મળશે!

ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થા વધુ સુદૃઢ અને સરળ બનાવવા નાગરિકોના હિતમાં આજે ગાંધીનગરમાં નવી 151 બસનું લોકાર્પણ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે અને આ નવી બસને આજથી લોકોની સેવામાં મુકાશે.

એસ.ટીની નવી 151 બસ પૈકી સૌરાષ્ટ્રને 44 અને રાજકોટ એસ.ટી ડિવિઝનને માત્ર ચાર જ બસ મળવાની હોવાનું જાણવા મળ્યું છે. રૂ. 53 કરોડના ખર્ચે બનેલી આ નવી 151 લક્ઝરી બસને આજથી રાજ્યના એસ.ટી નિગમના જુદા જુદા ડિવિઝન અને ડેપોને ફાળવવામાં આવશે. નવી બસ ગાંધીનગરથી જે-તે ડેપો કે ડિવિઝનમાં લઇ જવા ડિવિઝનના અધિકારીઓને તેમના ડ્રાઈવરને યુનિફોર્મ સાથે મોકલવા સૂચના આપવામાં આવી છે.

શિવરાત્રીના મેળા માટે 30 એક્સ્ટ્રા બસ
શિવરાત્રીના મેળામાં દર વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પણ હજારો યાત્રિકો જૂનાગઢ જાય છે. આ મુસાફરો માટે રાજકોટ એસ.ટી. વિભાગ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એકસ્ટ્રા બસનું સંચાલન શરૂ કરાયું છે. 30 બસ એકસ્ટ્રા રાજકોટ એસ.ટી. ડેપો ખાતેથી શરૂ કરાશે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow