2050 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા માટે નવા રોડ પ્રોજેક્ટ પર જ રોક, લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે

2050 સુધી કાર્બન ઉત્સર્જન શૂન્ય કરવા માટે નવા રોડ પ્રોજેક્ટ પર જ રોક, લોકોને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે

વિશ્વમાં કાર્બનની માત્રા ઓછી કરવા માટે કવાયત ચાલી રહી છે. આ દિશામાં સૌથી પહેલાં બ્રિટનની વેલ્સ સરકારે પગલું ભર્યું છે. જેને લઈને વેલ્સ સરકારે 2050 સુધી નેટ ઝીરો ઈમિશન કરવા માટે નવા રોડ બનાવવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

એટલું જ નહીં, નવા 59માંથી 42 પ્રોજેક્ટ પણ રોકી દીધા છે. ત્યારે બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટને પણ રોકી દીધા છે. વેલ્સમાં ક્લાઇમેટ ચેન્જના નાયબ મંત્રી લી વાટર્સે રસ્તાના વિકાસને સીમિત કરવો જળવાયુ સંકટનું એક મહત્ત્વપૂર્ણ સમાધાન છે જેના પર સરકારોએ બહુ ઓછું વિચારવાની હિંમત કરી છે. પરિવહન આયોજકો દાયકાથી કહી રહ્યા છે કે જો તમે વધારે રસ્તાઓ બનાવશો તો લોકો પણ વધારે કાર ખરીદશે. તેવામાં ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન પણ વધારે થશે, પ્રદૂષણ થશે અને ભીડ પણ વધશે.

યુકેમાં લગભગ 12.5% અને યુએસમાં 15% કારો કાર્બનનું ઉત્સર્જન કરે છે. જેથી પ્રદૂષણને ઓછું કરવા માટે ઓછી કારોનો ઉપયોગ કરવો પડશે. તેના સ્થાને સાર્વજનિક વાહનો, સાઇકલ ચલાવવા અને ચાલવા માટે પ્રોત્સાહિત કરાશે. વેલ્સ રેલ અને બસ સર્વિસની સાથેસાથે ચાલવા અને સાઈકલ ચલાવવાની યોજનાઓમાં રોકાણ કરી રહ્યા છે. વેલ્સે હવે પ્રવાસનની દિશા નિર્ધારિત કરી દીધી છે. દેશના ઘણા નિષ્ણાતોએ સલાહ આપી છે કે વર્તમાનમાં ચાલી રહેલાં વાહનો અને ગેસથી ચાલતી કારોને ઈલેક્ટ્રિક વાહનો (ઈવી) સાથે બદલવા પર ધ્યાન આપવું જોઈએ.

સરકારે બ્રિજ અને હાઈવે પ્રોજેક્ટ પર પણ રોક લગાવી
બ્રિટનની વેલ્સ સરકારે કાર્બન ઉત્સર્જન ઓછું કરવા માટે નવા બ્રિજ બનાવવા અને હાઈવે પ્રોજેક્ટ પર પણ રોક લગાવી છે. જોકે એવા રસ્તાઓ બનાવવા પર વિચાર કરાઈ રહ્યો છે જ્યાં કારોની જગ્યાએ ફક્ત સાર્વજનિક બસો ચાલે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow