મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે

હિન્દુ પંચાગ મુજબ, 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે 14 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ઉદિયા તિથિને પગલે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે અમુક એવા કાર્ય હોય છે, જેને ના કરવા જોઈએ.

દારૂનુ સેવન ના કરવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે દારૂનુ સેવન ના કરવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થવા લાગે છે અને માણસને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે માણસે તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ. માઘ મહિનામાં આમ પણ તામસિક, નોનવેજ પદાર્થોના સેવન કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા મળતી નથી.

સાત્વિક ભોજન કરવુ ઉત્તમ

મકર સંક્રાંતિએ સાત્વિક ભોજન કરવુ ઉત્તમ રહે છે. સવારથી લઇને સાંજ સુધી માત્ર સાત્વિક ભોજન કરો. એટલું જ નહીં, ભોજનમાં લસણ અને ડુંગળીનો પણ ઉપયોગ ના થવો જોઈએ.

જરૂરીયાતમંદને ખાલી હાથ ના મોકલશો

આ પાવન પર્વના દિવસે જો ઘરમાં કોઈ જરૂરીયાતમંદ અથવા ભિખારી આવે તો તેને ખાલી હાથ ના મોકલશો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઇ શકે છે. પોતાના સામર્થ્ય મુજબ દાન-દક્ષિણા આપી જરૂરીયાતમંદને ઘરમાંથી વિદાય આપો.

ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ

મકર સંક્રાંતિએ ભૂલથી પણ કોઈ ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ. બની શકે તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપવાથી તમે પોતે પરેશાનીમાં પડી શકો છો.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow