મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

મકરસંક્રાંતિના દિવસે આ ચીજોથી દૂર રહેજો, નહીં તો આખુંય વર્ષ પસ્તાવાનો પાર નહીં રહે

14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે મકર રાશિમાં પ્રવેશ કરશે

હિન્દુ પંચાગ મુજબ, 14 જાન્યુઆરીએ સૂર્ય દેવ રાત્રે 8 વાગ્યે 14 મિનિટે મકર રાશિમાં પ્રવેશ કરશે. એવામાં ઉદિયા તિથિને પગલે 15 જાન્યુઆરીએ મકર સંક્રાંતિ મનાવવામાં આવશે. આ દિવસે અમુક એવા કાર્ય હોય છે, જેને ના કરવા જોઈએ.

દારૂનુ સેવન ના કરવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે દારૂનુ સેવન ના કરવુ જોઈએ. આમ કરવાથી ઘરમાં નકારાત્મક એનર્જીનો સંચાર થવા લાગે છે અને માણસને ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.

તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ

મકર સંક્રાંતિના દિવસે માણસે તામસિક ભોજનના સેવનથી દૂર રહેવુ જોઈએ. માઘ મહિનામાં આમ પણ તામસિક, નોનવેજ પદાર્થોના સેવન કરવાથી બચવુ જોઈએ. આમ કરવાથી ભગવાનની કૃપા મળતી નથી.

સાત્વિક ભોજન કરવુ ઉત્તમ

મકર સંક્રાંતિએ સાત્વિક ભોજન કરવુ ઉત્તમ રહે છે. સવારથી લઇને સાંજ સુધી માત્ર સાત્વિક ભોજન કરો. એટલું જ નહીં, ભોજનમાં લસણ અને ડુંગળીનો પણ ઉપયોગ ના થવો જોઈએ.

જરૂરીયાતમંદને ખાલી હાથ ના મોકલશો

આ પાવન પર્વના દિવસે જો ઘરમાં કોઈ જરૂરીયાતમંદ અથવા ભિખારી આવે તો તેને ખાલી હાથ ના મોકલશો. આમ કરવાથી ભગવાન તમારાથી નારાજ થઇ શકે છે. પોતાના સામર્થ્ય મુજબ દાન-દક્ષિણા આપી જરૂરીયાતમંદને ઘરમાંથી વિદાય આપો.

ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ

મકર સંક્રાંતિએ ભૂલથી પણ કોઈ ગરીબ અને નિ:સહાય માણસને પરેશાન ના કરવો જોઈએ. બની શકે તો આવા લોકોને મદદ કરો. ગરીબોને મુશ્કેલી આપવાથી તમે પોતે પરેશાનીમાં પડી શકો છો.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow