બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં સ્ટેમ્પ વેન્ડરો પાસે મંજૂરી નથી છતાં દબાણ

બહુમાળીમાં ફોર્મ ભરવા આવતા અરજદારો પાસેથી કહેવાતા સ્ટેમ્પ વેન્ડરો સોગંદનામા કરવાના નામે મનફાવે તેવો 300થી 500 સુધીનો ચાર્જ ઉઘરાવી લૂંટી રહ્યા છે. વધુ ચાર્જ ઉઘરાવતા આ શખ્સો મંજૂરી વિના વર્ષોથી દબાણ કરીને પણ બેઠા છે. બહુમાળીના ગ્રાઉન્ડ ફ્લોર પર 20 વર્ષથી સોગંદનામું કરતા રાજેશ રાવલ અને 5 વર્ષથી રીના જોશી મંજૂરી વિના પોતાની દુકાન ચલાવી રહ્યા છે.

સરકારી અધિકારીઓ દ્વારા નાની જગ્યાના દબાણો હટાવવાની કાર્યવાહી ઝડપથી થતી હોય છે, જ્યારે અહીં કેટલાય સરકારી અધિકારીઓ બેસતા હોવા છતાં આજ સુધી કોઇ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. વર્ષોથી બેસતા બન્ને શખ્સને માર્ગ અને મકાન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં ચાર નોટિસ ફટકારવામાં આવી છે. છેલ્લી નોટિસ 5-12-2022માં ઇસ્યૂ કરવામાં આવી હતી. જોકે વિભાગ માત્ર નોટિસ પાઠવી સંતોષ માની રહ્યું છે.

નોટિસમાં મંજૂરી વિના બેસતા હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ
જિલ્લા વસવાટ ફાળવણી સમિતિ અને કલેક્ટર કચેરી દ્વારા નક્કી થયા મુજબ સ્ટેમ્પ પેપર વેચવાનું લાઇસન્સ આપવામાં આવ્યું છે. જેથી બહુમાળીની બહાર બેસવાનું રહે છે. જો જગ્યા પર બેસવાની મંજૂરી હોય તો આધાર-પુરાવા કે પરવાનગી વિભાગીય કચેરીમાં રજૂ કરવા અથવા તાકીદે જગ્યા ખાલી કરવી. નહીં તો આગળની કાર્યવાહી હાથ ધરાશે.

એક વર્ષથી આવ્યો હોવાથી માહિતી નથી: ઇન્ચાર્જ કાર્યપાલક
માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યૂટિવ એન્જિનિયર નિખિલ ખાંટે જણાવ્યું હતું કે, મંજૂરી આપવા માટેની પ્રક્રિયા લાંબી અને અમુક વિભાગો-કચેરીઓની મંજૂરી બાદ પૂર્ણ થતી હોય છે. જ્યારે ઇન્ચાર્જ કાર્યપાલક રવિ જાવિયાએ કહ્યું હતું કે, સરકારી હુકમમાં બહુમાળીની અંદર બેસવું કે બહાર તેનો ઉલ્લેખ નથી. હું એક વર્ષથી આવ્યો છું વધુ માહિતી નથી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow