રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

શહેરની ભાગોળે જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી 13 વર્ષની તરુણીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ સોખડામાં બે મહિના પૂર્વે ઝેરી દવા પી લેનાર તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઘંટેશ્વરપાર્ક સામેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી રિધ્ધિ ઉપેન્દ્રભાઇ ચૌહાણે (ઉ.વ.13) રવિવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, રિધ્ધિ ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી તેના પિતા રિક્ષા ચલાવે છે, રિધ્ધિને પાંચ ભાઇ બહેન છે. પરિવારજનો બહાર ગયા હતા ત્યારે ઘરે એકલી રહેલી રિધ્ધીએ અંતિમ પગલું ભરી લીધું હતું, બહારથી આવેલા પરિવારજનોને વહાલસોયી પુત્રીનો લટકતો દેહ જોવા મળતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી, પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow