Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
📌 Rajkot

રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

Gujaratnow1 min read
રાજકોટમાં ધો. 7ની વિદ્યાર્થિનીનો ફાંસો ખાઈ આપઘાત

શહેરની ભાગોળે જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી 13 વર્ષની તરુણીએ પોતાના ઘરે ફાંસો ખાઇ જીવનનો અંત આણી લીધો હતો, તેમજ સોખડામાં બે મહિના પૂર્વે ઝેરી દવા પી લેનાર તરુણનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

ઘંટેશ્વરપાર્ક સામેના 25 વારિયા ક્વાર્ટરમાં રહેતી રિધ્ધિ ઉપેન્દ્રભાઇ ચૌહાણે (ઉ.વ.13) રવિવારે બપોરે પોતાના ઘરે ફાંસો ખાઇ લીધો હતો, ઘટનાની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી. પોલીસસૂત્રોએ જણાવ્યું હતું કે, રિધ્ધિ ઘર નજીક આવેલી શાળામાં ધોરણ-7માં અભ્યાસ કરતી હતી તેના પિતા રિક્ષા ચલાવે છે, રિધ્ધિને પાંચ ભાઇ બહેન છે. પરિવારજનો બહાર ગયા હતા ત્યારે ઘરે એકલી રહેલી રિધ્ધીએ અંતિમ પગલું ભરી લીધું હતું, બહારથી આવેલા પરિવારજનોને વહાલસોયી પુત્રીનો લટકતો દેહ જોવા મળતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી, પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ તપાસ શરૂ કરી હતી.

Gujaratnow1 min read

Related News