ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

ગોંડલ, જૂનાગઢ સહિતના ટૂંકા રૂટ પર હવે ST ઇલેક્ટ્રિક બસ દોડાવશે

એસ.ટી નિગમમાં પહેલા ડીઝલ યુગ, પછી સીએનજી અને હાલ ફરી ડીઝલથી ચાલતી બસ દોડી રહી છે પરંતુ આગામી સમયમાં એસ.ટીમાં ઇલેક્ટ્રિક યુગ આવશે એવી સંભાવનાઓ વ્યક્ત થઇ રહી છે કારણ કે તાજેતરમાં જ રાજકોટથી મોરબી અને રાજકોટથી જામનગર રૂટ ઉપર એસ.ટી નિગમે ઇલેક્ટ્રિક બસ શરૂ કર્યા બાદ હવે રાજકોટ ડિવિઝનના ટૂંકા રૂટ ઉપર મોટા ભાગે ઇલેક્ટ્રિક બસ જ દોડાવવામાં આવશે તેવું નિગમના અધિકારીઓ જણાવી રહ્યા છે.

જેમ જેમ ડિવિઝનમાં નવી ઇલેક્ટ્રિક બસ આવશે તેમ તેમ અન્ય ટૂંકા રૂટ જેવા કે રાજકોટથી ગોંડલ, જૂનાગઢ ઉપર નવી બસ દોડાવવામાં આવશે.હાલ રાજકોટથી જામનગર રૂટ પર 10 જેટલી નવી ઇલેક્ટ્રિક બસ દોડી રહી છે જેનું ભાડું રૂ.126 રખાયું છે. એવી જ રીતે મોરબી રૂટ ઉપર પણ 5 જેટલી ઇલેક્ટ્રિક બસ દોડાવવામાં આવી રહી છે.

આ બસમાં મોરબી-રાજકોટ વચ્ચે રૂપિયા 90 ભાડું નક્કી કરવામાં આવ્યું છે. હજુ આગામી દિવસોમાં એસ.ટી નિગમમાં નવી 50 જેટલી ઇલેક્ટ્રિક બસ ફાળવવામાં આવશે. એસ.ટી નિગમમાં અમદાવાદ-ગાંધીનગર, કૃષ્ણનગર-વડોદરા રૂટ પર પણ ઇલેક્ટ્રિક એસ.ટી બસ દોડાવવામાં આવી રહી છે. હવે ધીમે ધીમે ઈલેક્ટ્રિક બસના વપરાશ તરફ ઝડપી રીતે આગળ વધી રહ્યા છે.

હાલમાં રાજકોટ ખાતે એક જ ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ હોય બસના રૂટ ઓછા રાખવામાં આવ્યા છે. આગામી સમયમાં રાજકોટ ઉપરાંત જૂનાગઢ અને જામનગર ખાતે ઇલેક્ટ્રિક ચાર્જિંગ પોઇન્ટ શરૂ કરી ટ્રિપની સંખ્યા વધારવામાં આવશે. હાલમાં એકવખતના ચાર્જિંગ બાદ આ ઇલેક્ટ્રિક બસ 180 કિલોમીટર સુધી દોડાવી શકાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow