મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો

મોરબી, દ્વારકા રૂટની ST બસ રૈયા રોડથી જશે, રૂ.6 સુધીનો ભાડા વધારો

શહેરના જામનગર રોડ પર આવેલા સાંઢિયા પુલની મરમ્મતને લઈને હાલમાં ભારે વાહનો માટે અવરજવર બંધ કરવામાં આવી છે ત્યારે આ રૂટ ઉપરથી પસાર થતી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટની એસ.ટી બસ હવે રૈયા રોડ, 150 ફૂટ રિંગ રોડ થઇને જે-તે રૂટ પર જશે. રૂટ બદલવાથી એસ.ટી. બસને ચાર કિલોમીટર ફરીને શહેરની બહાર નીકળવું પડશે.

કિલોમીટર વધી જવાને કારણે એસ.ટી. તંત્રએ આ જુદી જુદી રૂટની બસના ભાડામાં પણ રૂ. 6 સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટથી આ રૂટ ઉપર દરરોજ અંદાજિત 70થી વધુ બસને આ બદલાયેલો રૂટ અસર કરશે તેમ એસ.ટી. નિગમ રાજકોટના વિભાગીય નિયામકે જણાવ્યું હતું. નવો હુકમ ન થાય ત્યાં સુધી આ મુજબ વ્યવસ્થા રહેશે.

આમ્રપાલી બ્રિજ, રૈયા ચોકડી, અયોધ્યા ચોકથી બસ દોડશે
સાંઢિયા પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવતા એસ.ટી.ની રાજકોટથી મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જતી એસ.ટી. બસ હવે બસપોર્ટથી ત્રિકોણબાગ, મહિલા કોલેજ ચોક, આમ્રપાલી અન્ડરબ્રિજ, હનુમાનમઢી ચોક, રૈયા ચોકડી, શીતલ પાર્ક, અયોધ્યા ચોક, માધાપર ચોકડી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા રૂટ ઉપર જશે.

મહિલા કોલેજ અને રૈયા ચોકડીએ એસ.ટી. ઊભી રહેશે
જામનગર રોડ પરના સાંઢિયા પુલ પર ભારે વાહનોને પ્રવેશ બંધ કરવામાં આવતા એસ.ટી. બસ હવે શહેરના રૂટ પરથી થઇને મોરબી, ભુજ, જામનગર અને દ્વારકા જશે. નવા રૂટમાં પણ યાત્રિકોને માટે બે સ્ટોપ રાખવામાં આવ્યા છે જેમાં મહિલા કોલેજ ચોક અને રૈયા ચોકડીએ એસ.ટી. બસ ઊભી રહેશે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow