સરકારી બેન્કોમાં 8 વર્ષમાં કર્મચારીઓ 12% ઘટી ગયા!

સરકારી બેન્કોમાં 8 વર્ષમાં કર્મચારીઓ 12% ઘટી ગયા!

સરકારી બેન્કોમાં લાંબા સમય પછી કર્મચારીઓની ભરતી શરૂ થઈ છે.2012-13માં સરકારી બેન્કોમાં 8.86 લાખ કર્મચારીઓ કામ કરી રહ્યા હતા. 2020-21માં તેમની સંખ્યામાં 1.06 લાખ કે 11.96% ઘટીને 7.80 લાખ રહી ગઈ હતી. તેના પછી કોરોના મહામારીને કારણે ભરતી પ્રક્રિયા પ્રભાવિત થઇ હતી.

નાણામંત્રાલયે ચાલુ મહિનાની શરૂઆતમાં સરકારી બેન્કોમાં ખાલી પડેલી જગ્યાઓની સમીક્ષા કરી તેને ભરવાની સલાહ આપી હતી. તેના પછી મંગળવારે નાણામંત્રી નિર્મલા સીતારમણે પણ આ બેન્કોને અનુસૂચિત જાતિ(એસસી) વર્ગની બેકલૉગ વેકેન્સી સમયસર ભરવા નિર્દેશ આપ્યો.

નાણામંત્રાલયના નિર્દેશો પર અમલ કરતા સરકારી બેન્કોએ ભરતીઓ માટે જાહેરાત આપવાની શરૂઆત કરી દીધી છે. એસબીઆઈએ 1673 પ્રોબેશનરી ઓફિસર્સની ભરતી માટે જાહેરાત આપી છે. તેમાં 73 પોસ્ટ બેકલૉગ કેટેગરીની છે.

આ ઉપરાંત બેન્ક ઓફ ઈન્ડિયાએ પણ સ્પેશ્યાલિસ્ટ ઓફિસર્સનાં 110 પદો પર ભરતી માટે જાહેરાત આપી છે. આ ઉપરાંત સ્મૉલ ઈન્ડસ્ટ્રિઝ ડેવલપમેન્ટ બેન્ક ઓફ ઈન્ડિયા(સિડબી) જેવી નાણાકીય સંસ્થાઓએ પણ પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ અને પ્રોગ્રામ લીડનાં પદો માટે અરજી આમંત્રિત કરી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow