સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા થઈ શકશે

સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી 21 લાખ સુધીની પૂજા થઈ શકશે

સોમનાથ મહાદેવના દર્શનાર્થે યાત્રિકોનો સતત ઘસારો રહેતો હોય છે.ત્યારે જ ટ્રસ્ટ દ્રારા બિલ્વ પૂજા સેવાનો પ્રારંભ કરાયો છે અને ભાવિકો માત્ર 21 રૂપિયામાં જ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે આમ હવે સોમનાથ મહાદેવની 21 રૂપિયાથી લઈ 21 લાખ સુધીની પૂજા કરી શકશે આ ઉપરાંત સોમનાથ મહાદેવને વિધિવત પૂજન સાથે પાઘ અર્પણ કરીને યશ અને કીર્તિ વધારનાર પાઘ સમર્પણ પૂજાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભાવિકો માત્ર 21 રૂપિયામાં જ મહાદેવની બિલ્વપૂજા કરી શકશે
આ પાઘ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતે તૈયાર કરવામાં આવી છે. જે ભક્તો પૂજન કર્યા બાદ મહાદેવને અર્પણ કરી શકશે અને સોમનાથ મહાદેવના શૃંગારમાં ઉપયોગ કરવામાં આવશે.આ પાઘ પૂજા પ્રારંભે તમામ અધિકારીઓ,કર્મીઓએ સોમનાથ મહાદેવની ધ્વજાપૂજા કરી હતી.આ સાથે 22 જાન્યુઆરીથી સોમનાથ સાનિધ્યે દેવી ભાગવત કથાનું પણ આયોજન કરાયું છે.

વેબસાઈટ, મિસકોલથી પણ રજિસ્ટ્રેશન થઈ શકશે
આ બિલ્વપૂજાનો લાભ લેવા માટે વેબસાઈટ somnath.org પર જઈ તેમજ 080-69079921 પર મિસ કોલ કરીને સરળતા પૂર્વક વોઇસ રજિસ્ટ્રેશન માધ્યમથી પણ નોંધણી થઈ શકશે.

જય સોમનાથનો નાદ ગુંજયો
​​​​​​​સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રારંભ કરાયેલ પાઘ પૂજાની પેહલી પાઘ સોમનાથ મહાદેવને શૃંગારમાં ઉપયોગમાં આવે તે પહેલા તેનું મંદિરના સભા મંડપમાં સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સાથે મળીને પૂજન કરાયું હતું ત્યારબાદ પાઘ ને પાલખીમાં બિરાજમાન કરીને મંદિર પરિસરમાં પ્રદક્ષિણા કરાઈ હતી. હર હર મહાદેવ અને જય સોમનાથના નાદથી મંદિરનું પ્રાંગણ ગૂંજી ઉઠ્યું હતું.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow