રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

રાજકોટ આવતી-જતી અમુક ટ્રેન ત્રીજા દિવસે પણ રદ

બિપરજોય’ ચક્રવાતને કારણે રેલવે વ્યવહાર ખોરવાયો છે અને બીજી અનેક ટ્રેન તારીખ 16 જૂને પણ રદ કરવી પડી છે. આજે રાજકોટ આવતી-જતી 12 ટ્રેન સંપૂર્ણ અને 5 ટ્રેન આંશિક રદ કરી છે. ગુજરાતમાં ચક્રવાત ‘બિપરજોય’ને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવેએ ચક્રવાતની સંભાવનાવાળા વિસ્તારોમાં સાવચેતીના પગલાં તરીકે કેટલીક ટ્રેનોને આંશિક રીતે રદ કરવાનો નિર્ણય લીધો છે.

જે ટ્રેન રદ કરવામાં આવી છે તેમાં ટ્રેન નંબર 22957 અમદાવાદ-વેરાવળ, ટ્રેન નંબર 09516 પોરબંદર-કાનાલુસ, ટ્રેન નંબર 09522 વેરાવળ-રાજકોટ, ટ્રેન નંબર 19120 વેરાવળ-અમદાવાદ, ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર એક્સપ્રેસ, ટ્રેન નંબર 19571 રાજકોટ-પોરબંદર, ટ્રેન નંબર 09596 પોરબંદર– રાજકોટ, ટ્રેન નંબર 09513 રાજકોટ-વેરાવળ સ્પેશિયલ, ટ્રેન નંબર 09514 વેરાવળ- રાજકોટ સ્પેશિયલ, ટ્રેન નંબર 19572 પોરબંદર-રાજકોટ એક્સપ્રેસ, ટ્રેન નંબર 19209 ભાવનગર-ઓખા, ટ્રેન નંબર 09480 ઓખા-રાજકોટ સ્પેશિયલનો સમાવેશ થાય છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow