કેટલીક બેન્કોએ વાસ્તવિક NPA સ્થિતિ છુપાવી : દાસ

કેટલીક બેન્કોએ વાસ્તવિક NPA સ્થિતિ છુપાવી : દાસ

આરબીઆઈએ કેટલીક બેંકોની કાર્યપ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેટલીક બેંકોએ એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે કેટલીક બેંકોના ગવર્નન્સમાં પણ ભૂલો જોવા મળી છે. દાસે કહ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન છતાં કેટલીક બેંકોના કોર્પોરેટ ગવર્નન્સમાં ભૂલો જોવા મળી છે. જેના કારણે બેંકિંગ સેક્ટરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

આ ચિંતાજનક સ્થિતિ છે. જોકે તેમણે એવી બેંકોના નામ લીધા ન હતા કે જેણે એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં વહીવટી સ્તરે ક્ષતિઓ જોવા મળી હતી. વ્યાજદરમાં જે રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં બેન્કો લોન આપવામાં સરળ નીતિ અપનાવી રહી છે જેના કારણે તમામ સેગમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી લોનની માગમાં ઝડપી વધારો થયો છે. લોનની માગ વધવા સામે બેન્કોએ રિકવરી પર પણ ભાર આપવાની જરૂર છે. બેંકો જોખમને અવગણે છે: દાસે કહ્યું આપણે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય ત્યારે ઘણીવાર જોખમને અવગણવામાં આવે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow