કેટલીક બેન્કોએ વાસ્તવિક NPA સ્થિતિ છુપાવી : દાસ

કેટલીક બેન્કોએ વાસ્તવિક NPA સ્થિતિ છુપાવી : દાસ

આરબીઆઈએ કેટલીક બેંકોની કાર્યપ્રણાલી પર ચિંતા વ્યક્ત કરી છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે કેટલીક બેંકોએ એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે કેટલીક બેંકોના ગવર્નન્સમાં પણ ભૂલો જોવા મળી છે. દાસે કહ્યું કે આરબીઆઈની ગાઈડલાઈન છતાં કેટલીક બેંકોના કોર્પોરેટ ગવર્નન્સમાં ભૂલો જોવા મળી છે. જેના કારણે બેંકિંગ સેક્ટરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે.

આ ચિંતાજનક સ્થિતિ છે. જોકે તેમણે એવી બેંકોના નામ લીધા ન હતા કે જેણે એનપીએની વાસ્તવિક સ્થિતિ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો અને જેમાં વહીવટી સ્તરે ક્ષતિઓ જોવા મળી હતી. વ્યાજદરમાં જે રીતે વધારો થઇ રહ્યો હોવા છતાં બેન્કો લોન આપવામાં સરળ નીતિ અપનાવી રહી છે જેના કારણે તમામ સેગમેન્ટમાં છેલ્લા કેટલાક સમયથી લોનની માગમાં ઝડપી વધારો થયો છે. લોનની માગ વધવા સામે બેન્કોએ રિકવરી પર પણ ભાર આપવાની જરૂર છે. બેંકો જોખમને અવગણે છે: દાસે કહ્યું આપણે ધ્યાનમાં રાખવું પડશે કે જ્યારે વસ્તુઓ સારી રીતે ચાલી રહી હોય ત્યારે ઘણીવાર જોખમને અવગણવામાં આવે છે.

Read more

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રીજીયોનલ કોન્ફરન્સમાં પહોંચવાના માર્ગો

ટ્રાફિક વ્યવસ્થા જાળવવા નિયત રૂટ પર ભારે વાહનો માટે પ્રવેશબંધી કરી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા રાજકોટ, તા.૧૦ જાન્યુઆરી - વડાપ્રધાન નરે

By Gujaratnow
બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

બંગાળ રાજ્યપાલને બોમ્બ બ્લાસ્ટની ધમકીનો ઈ-મેલ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝને ગુરુવારે મોડી રાત્રે ઈ-મેલ દ્વારા જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. લોક ભવનના વરિષ્ઠ અધિકા

By Gujaratnow