તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

તમારી ડાયેટ પર આધાર રાખે છે ત્વચાનો ગ્લો, દરરોજ કરો આ 5 વસ્તુઓનું સેવન પછી જુઓ ચમત્કાર

કહેવાય છે કે આપણે જે પણ કંઈ ખાઈએ તેની સીધી અસર આપણા શરીરની અંદરના અને બહારના સ્વાસ્થ્ય પર પડે છે. તમે જોયુ હશે કે ઘણા દિવસ સુધી બહારનું ભોજન કર્યા બાદ ચહેરો વિલાઈ જાય છે. ઓઈલી અને બેજાન દેખાવવા લાગે છે. ટોક્સિંસ બહાર નિકળવા પર શરીર અંદરથી સાફ થઈ જાય છે અને બહારની ત્વચા પણ દાગ-ધબ્બા રહિત જોવા મળે છે.

ગ્લોઈંગ સ્કીન માટે કરો આ વસ્તુઓનું સેવન

ખીરા કાકડી
ભોજનમાં ખીરા કાકડીને શામેલ કરવાના ઘણા ફાયદા છે. ખીરામાં વિટામિન-સી, વિટામિન કે અને એન્ટી ઓક્સીડેન્ટ્સ મળી આવે છે. તેને ખાવાથી શરીરને એન્ટી-એજિંગ ગુણ પણ મળે છે.

કમાલની વાત એ છે કે ખીરાને ગ્લોઈંગ ત્વચા મેળવવા માટે ખઈ પણ શકાય છે સાથે જ ચહેરા પર લગાવી પણ શકા છે. ખીરાના સ્લાઈસ આંખો પર મુકવાથી કાળા ધબ્બા થઈ જાય છે. સાથે જ તેના રસને સ્કિન પર લગાવવાથી ગંદકી દૂર થાય છે.

દાડમ
ત્વચાને ચમકદાર અને લાંબા સમય સુધી જવાન રાખવા માટે દાડમને ડાયેટનો ભાગ બનાવો. વિટામિન-સી અને એન્ટી-ઓક્સીડેન્ટ્સથી ભરપૂર દાડમને ખાવા પર શરીર સ્વસ્થ્ય પણ રહે છે અને ત્વચા પણ ગ્લો કરે છે.

હળદર
ઔષધીય ગુણો ઘરાવતી હળદર, એન્ટીબેક્ટેરિયલ, એન્ટીફંગલ અને એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે. તેના કારણે  તેને અલગ અલગ રીતે પોતાના ભોજનનો ભાગ બનાવવો જોઈએ.

હળદરને શાક-ભાજીમાં નાખવાની સાથે તેનો જ્યુસ પી શકાય છે. હળદર વાળુ દૂધ પી શકાય છે. હળદરનો સૂપ અને સ્મૂદી વગેરેમાં પણ હળદર નાખી શકાય છે.

ગ્રીન ટી
સામાન્ય રીતે પેટ અંદર કરવા અને વજન ઓછુ કરવા માટે ગ્રીન ટી પીવામાં આવે છે. પરંતુ તેની અસર ત્વચા પર પણ જોવા મળી શકે છે. ગ્રીન ટી પીવાથી તેના એન્ટી-ઓક્સીડેન્ટ્સ શરીરને મળે છે જે શરીરમાંથી ટોક્સિંસ દૂર કરવા અને એજીંગ પ્રોસેસને ધીમા કરવામાં મદદ કરે છે.

પાલક
ભોજનમાં પાલકને શામલ કરવાના ઘણા કારણ છે. આ સ્કીનને હેલ્ધી રાખે છે, બેદાગ બનાવે છે, નિખારે છે અને સાથે જ એજિંગની પ્રક્રિયાને ઓછી કરવામાં અસરકારક સાબિત થઈ જાય છે. તેને અલગ અલગ રીતે ખાઈ શકાય છે. તમે તેનો જ્યુસ અને સૂપ બનાવીને પણ પી શકો છો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow