Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
Politics

ED કેસમાં પણ સિસોદિયાને જામીન ન મળ્યા

Gujaratnow1 min read
ED કેસમાં પણ સિસોદિયાને જામીન ન મળ્યા

દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે લીકર પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં પણ મનીષ સિસોદિયાને જામીન ન આપ્યા. સ્પેશિયલ જજ એમકે નાગપાલે આ ચુકાદો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે ગુનાહિત ષડ્યંત્ર પાછળ અસલી મગજ સિસોદિયાનું છે. જો કે, સિસોદિયાના વકીલ દયાન કૃષ્ણને કહ્યું છે કે તેઓ આ નિર્ણય સામે હાઈકોર્ટમાં અપીલ કરશે.

જસ્ટિસ નાગપાલનું માનવું છે કે સિસોદિયાએ જ દારૂના વિક્રેતાઓની યોગ્યતા અને તેમના નફાના માર્જિનમાં ફેરફાર કર્યો હતો. સિસોદિયાએ મંત્રીઓની સલાહ લીધા વિના આ કર્યું હતું.

તેમણે એમ પણ કહ્યું કે સિસોદિયાએ સાઉથ લોબીની જરૂરિયાતો અનુસાર એકપક્ષીય રીતે GOM રિપોર્ટમાં ફેરફાર કર્યો હતો.

આ કેસમાં સિસોદિયાની સાથે આરોપી રાજેશ જોશી અને ગૌતમ મલ્હોત્રાની જામીન અરજીઓ પરનો આદેશ 6 મે સુધી મુલતવી રાખવામાં આવ્યો છે.

મનીષ સિસોદિયા 62 દિવસથી જેલમાં છે
EDએ 9 માર્ચે સિસોદિયાની ધરપકડ કરી હતી. અગાઉ, જામીન પરનો ચુકાદો 26 એપ્રિલે સંભળાવવાનો હતો, પરંતુ તેને 28 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યો હતો. સિસોદિયાની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED) એ જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું હતું કે તપાસ નિર્ણાયક તબક્કામાં છે.

Gujaratnow1 min read

Related News