ચોરી પર સિના જોરી..અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસૂલ્યા બાદ કેસ કર્યો!

ચોરી પર સિના જોરી..અંકલેશ્વરના વ્યાજખોરે 5.78ની સામે 9 લાખ વસૂલ્યા બાદ કેસ કર્યો!

અંકલેશ્વરમાં વ્યાજખોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરતના ઓલપાડ ખાતે આવેલ મોરથાણના કિરીટ પુરોહિત તથા તેમનો પુત્ર સંજય સાત વર્ષથી અંકલેશ્વર ખાતે રહે છે. તેઓએ અંકલેશ્વર હવેલી ફળીયા ખાતે રહેતા પરેશ જયંતી અમીન પાસેથી 5.78 લાખ વ્યાજે લીધાં હતાં. પુરોહિત પરિવારે જમીન પર લોન લઇને પરેશ અમીનને 9 લાખ ચુકવી દીધાં હતાં. જે બાદ પણ પરેશે રૂપિયાની માગણી ચાલુ રાખતા પરિવાર ભયમાં આવી ગયો હતો.

30 લાખ લખીને ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ દાખલ કરી દીધો
​​​​​​​કોરોના દરમિયાન 5 મી મે 2022 ના રોજ ચેકમાં 30 લાખ લખીને ચેક બાઉન્સ કરવી અંકલેશ્વર કોર્ટમાં ચેક રીટર્નનો કેસ દાખલ કરી દીધો હતો. જે બાદ પિતા પુત્ર કોર્ટમાં ગત તારીખ 26 મી સપ્ટેમ્બર 2022 ના રોજ તારીખ પર પેરાલિસિસ વાળા પુત્રને લઇ તારીખ પર હાજર રહ્યા બાદ તેઓ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભરૂચી નાકા પાસે તેમને રોકી પુનઃ ધમકી આપી હતી. આ બનાવ અંગે પરેશ અમીન વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવતાં પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ વધુ તપાસ કરી રહી છે.

સંજયે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ પણ કર્યો હતો
વ્યાજખોર પરેશએ હજુ 1.25 લાખ રૂપિયા બાકી છે. અને ઉઘરાણી ચાલુ રાખી હતી. એટલું જ નહિ ચેક બાઉન્સ કરી કોર્ટ કેસ કરવાની ધમકી આપવાની શરૂઆત કરી હતી જે બાદ કંટાળી ને કિરીટભાઈ પુરોહિત પોતાના પુત્ર સાથે તેની પત્ની અને બાળકોને લઇ દુકાન બંધ કરી પરત પોતાના ગામ મોરથાણ રહેવા જતા રહ્યા હતા. જ્યાં સંજય ટેન્શનમાં આવી જતા માનસિક સંતુલન ગુમાવી દીધું હતું.તેમજ થોડા સમયમાં પેરાલિસિસ થઇ ગયું હતું.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow