Gujarat Now
બ્રેકિંગ
પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાંપાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યોપાકિસ્તાની વહુ નીકળી ભારતીય જાસૂસપ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલુંભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશેભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં
🌏 World

સિંધ વિધાનસભાનો હિન્દુઓ દ્વારા ઘેરાવ

Gujaratnow1 min read
સિંધ વિધાનસભાનો હિન્દુઓ દ્વારા ઘેરાવ

પાકિસ્તાનના લઘુમતી હિન્દુ સમુદાયના લોકોએ બળજબરીપૂર્વક ધર્માંતરણ, અપહરણ અને સગીરાઓનાં લગ્નની વધતી જતી ઘટનાઓના વિરોધમાં જોરદાર દેખાવો કર્યા હતા. હિન્દુ સમુદાયના લોકોએ કરાચી સ્થિત સિંધ વિધાનસભા ભવનનો ઘેરાવો કર્યો હતો. આ દેખાવો લઘુમતી સમુદાયના અધિકાર માટે કામ કરનાર સંગઠન પાકિસ્તાન દારાવર ઇત્તેહાદ (પીડીઆઇ)ના બેનર હેઠળ યોજવામાં આવ્યા હતા. પીડીઆઇ પ્રમુખ ફકીર શિવાએ ભાસ્કરને કહ્યું હતું કે દેખાવોનો હેતુ બાળલગ્ન અધિનિયમને યોગ્ય અને કડક રીતે લાગુ કરવા માટે સરકાર પર દબાણ લાવવાનો છે.

બળજબરીપૂર્વક ધાર્માંતરણના વિરોધમાં સંસદમાં એક બિલ પાસ કરવામાં આવે તેમ પણ સમુદાયના લોકો ઇચ્છે છે. હજુ સુધી તમામ પ્રયાસ કરાયા હોવા છતાં આ બાબત શક્ય બની નથી. આ ગાળા દરમિયાન સત્તાપક્ષ તરફથી માંગણીને લઇને કોઇ ખાતરી આપવામાં આવી નથી. કોઇ નેતા મળવા પણ આવ્યા નથી. કોઇ અન્ય રાજકીય પક્ષના નેતા પણ મળવા માટે પહોંચ્યા નથી. માંગણી સ્વીકારાશે નહીં ત્યાં સુધી દેખાવો જારી રાખવામાં આવશે. શિવાએ કહ્યું છે કે દેખાવો દરમિયાન પોલીસ અને વહીવટીતંત્રના લોકોએ પરિવહનનાં કારણો આપીને દેખાવકારોને વિરોધનો અંત લાવવા માટે કહ્યું હતું.

Gujaratnow1 min read

Related News