લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

આજકાલ સંબંધોમાં ઓછો વિશ્વાસ હોય તેને કારણે ઘણા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેનાર લોકો માને છે કે એકલા રહેવાથી તેઓ આઝાદ રહે છે. તેમના પર કોઈ પ્રકારની રોક ટોક અથવા દબાણ હોતું નથી. એકલા રહેનાર લોકો લાઈફને સારી રીતે એન્જોય કરી શકે છે. રીલેશનશીપમાં થોડો બોજ અને જવાબદારી હોય છે. આ ઝંઝટોથી બચવા માટે લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણા લોકો બધા જ સંબંધોથી દૂર થઇ જાય છે. અમુક લોકો પોતાની કરિયર બનાવવાના ચક્કરમાં રીલેશનશીપથી દૂર રહે છે તો કોઈ લોકો સમયનાં અભાવને કારણે. સિંગલ રહેવાના ઘણા ફાયદાઓ હોય છે, પણ તેના ઘણા નુકસાન પણ છે.

કોઈની સાથે રહેવાથી ઘણી તકલીફો દૂર થઇ જાય છે. જો તમે કોઈ સાથે રીલેશનશીપમાં છો, તો એકબીજાની તકલીફો વહેંચી શકો છો અને સલાહ દઈને તેને સોલ્વ પણ કરી શકો છો. એકલા રહેવાથી ઘણી તકલીફો તમારે પોતે જ સોલ્વ કરવી પડે છે. આવામાં તમે ઈમોશનલી નબળા થઇ જાઓ છો. કોઈનો સાથ ન હોવા પર જલ્દી પરેશાન થઇ જાઓ છો અને નાની નાની બાબતો પર રડવું પણ આવે છે.

થઇ શકે છે ડિપ્રેશન

સિંગલ રહીને વ્યક્તિ પોતાના મનના કામોભાલે કરી લે, પણ ખુશી નથી મળતી. ખુશી કોઈની સાથે રહીને મજા કરવામાં જ આવે છે. સિંગલ વ્યક્તિ ન તો પોતાની તકલીફો વહેંચી શકે છે કે ન તો પોતાની ખુશી. એકલા રહીને પોતાની તકલીફો વ્યક્તિ ઇચ્છીને પણ કોઈ સાથે શેર નથી કરી શકતી અને આ જ કારણે તણાવ પણ થવા લાગે છે. જો રોજ રોજ તણાવ તણાવ તમને ઘેરી લે, તો ડિપ્રેશન પણ આવી શકે છે.

વ્યક્તિ સૌથી દૂર થઇ જાય છે

ઘણી વાર એકલા રહેવાથી ચીડચિડીયાપણ આવી જાય છે. એકલા રહીને તમે લોકો સાથે મિક્સ થતા ભૂલી જાઓ છો. ઘણી વાર એકલા રહેવાને કારણે સૌ સાથે રહેવાની આદત પણ છૂટી જાય છે અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. એકલા રહીને તમે ધીરે-ધીરે ઘર, પરિવાર અને સમાજથી પણ દૂર થઇ જાઓ છો.

બીમારીઓ ઘેરી લે છે

એકલા રહેવાને કારણે તમે ખુશ ઓછા અને તણાવમાં વધારે રહો છો. આ તણાવ ઘણી તકલીફ અને દુઃખ લઈને આવે છે. સ્ટ્રેસ થવા પર ઊંઘની પણ તકલીફ પેદા થવા લાગે છે. ઓછી ઊંઘ પણ ઘણી બીમારીઓનું  કારણ બને છે. થાક, પાચનની તકલીફ, ભારે માથું અને ડાર્ક સર્કલ જેવી તકલીફો ઉભી થાય છે. કામ અને ભણતરમાં પણ ધ્યાન રહેતું નથી.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow