લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

લગ્ન નહીં કરવાનાં સાઈડ ઇફેક્ટ્સ! સિંગલ રહેવાથી થાય છે આ 4 મોટા નુકસાન, જાણી લેવા જરૂરી

આજકાલ સંબંધોમાં ઓછો વિશ્વાસ હોય તેને કારણે ઘણા લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. સિંગલ રહેનાર લોકો માને છે કે એકલા રહેવાથી તેઓ આઝાદ રહે છે. તેમના પર કોઈ પ્રકારની રોક ટોક અથવા દબાણ હોતું નથી. એકલા રહેનાર લોકો લાઈફને સારી રીતે એન્જોય કરી શકે છે. રીલેશનશીપમાં થોડો બોજ અને જવાબદારી હોય છે. આ ઝંઝટોથી બચવા માટે લોકો એકલા રહેવાનું પસંદ કરે છે. ઘણા લોકો બધા જ સંબંધોથી દૂર થઇ જાય છે. અમુક લોકો પોતાની કરિયર બનાવવાના ચક્કરમાં રીલેશનશીપથી દૂર રહે છે તો કોઈ લોકો સમયનાં અભાવને કારણે. સિંગલ રહેવાના ઘણા ફાયદાઓ હોય છે, પણ તેના ઘણા નુકસાન પણ છે.

કોઈની સાથે રહેવાથી ઘણી તકલીફો દૂર થઇ જાય છે. જો તમે કોઈ સાથે રીલેશનશીપમાં છો, તો એકબીજાની તકલીફો વહેંચી શકો છો અને સલાહ દઈને તેને સોલ્વ પણ કરી શકો છો. એકલા રહેવાથી ઘણી તકલીફો તમારે પોતે જ સોલ્વ કરવી પડે છે. આવામાં તમે ઈમોશનલી નબળા થઇ જાઓ છો. કોઈનો સાથ ન હોવા પર જલ્દી પરેશાન થઇ જાઓ છો અને નાની નાની બાબતો પર રડવું પણ આવે છે.

થઇ શકે છે ડિપ્રેશન

સિંગલ રહીને વ્યક્તિ પોતાના મનના કામોભાલે કરી લે, પણ ખુશી નથી મળતી. ખુશી કોઈની સાથે રહીને મજા કરવામાં જ આવે છે. સિંગલ વ્યક્તિ ન તો પોતાની તકલીફો વહેંચી શકે છે કે ન તો પોતાની ખુશી. એકલા રહીને પોતાની તકલીફો વ્યક્તિ ઇચ્છીને પણ કોઈ સાથે શેર નથી કરી શકતી અને આ જ કારણે તણાવ પણ થવા લાગે છે. જો રોજ રોજ તણાવ તણાવ તમને ઘેરી લે, તો ડિપ્રેશન પણ આવી શકે છે.

વ્યક્તિ સૌથી દૂર થઇ જાય છે

ઘણી વાર એકલા રહેવાથી ચીડચિડીયાપણ આવી જાય છે. એકલા રહીને તમે લોકો સાથે મિક્સ થતા ભૂલી જાઓ છો. ઘણી વાર એકલા રહેવાને કારણે સૌ સાથે રહેવાની આદત પણ છૂટી જાય છે અને કોઈપણ સંબંધમાં સરળતાથી એડજસ્ટ થવામાં તકલીફ પડે છે. એકલા રહીને તમે ધીરે-ધીરે ઘર, પરિવાર અને સમાજથી પણ દૂર થઇ જાઓ છો.

બીમારીઓ ઘેરી લે છે

એકલા રહેવાને કારણે તમે ખુશ ઓછા અને તણાવમાં વધારે રહો છો. આ તણાવ ઘણી તકલીફ અને દુઃખ લઈને આવે છે. સ્ટ્રેસ થવા પર ઊંઘની પણ તકલીફ પેદા થવા લાગે છે. ઓછી ઊંઘ પણ ઘણી બીમારીઓનું  કારણ બને છે. થાક, પાચનની તકલીફ, ભારે માથું અને ડાર્ક સર્કલ જેવી તકલીફો ઉભી થાય છે. કામ અને ભણતરમાં પણ ધ્યાન રહેતું નથી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow