શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં

શ્રુતિ હાસને નાકની સર્જરી કરાવી હોવાનું કબલ્યૂં
હું વધુ સુંદર દેખાવા માગતી હતી, લોકોને જસ્ટિફિકેશન આપી શકું નહીં

એક્ટ્રેસ શ્રુતિ હાસન પોતાના અંગત જીવનના ઘટસ્ફોટ કરવા માટે જાણીતી છે. હાલમાં જ તેણે પોતાના નાકની સર્જરી કરાવવાની વાત જાહેરમાં સ્વીકારી હતી. શ્રુતિએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે સુંદર દેખાવ માટે નાકની સર્જરી કરાવી હતી. ચાહકો તેના લુક અંગે શું રિએક્શન આપે છે, તેનાથી તેને કોઈ ફેર પડતો નથી અને તે આ અંગે જસ્ટિફાઇ પણ કરવા માગતી નથી. તેની બૉડી છે અને તે જેમ ઈચ્છે તેમ રહી શકે છે.

તૂટેલા નાક સાથે પહેલી ફિલ્મ કરી હતી

શ્રુતિએ કહ્યું હતું, 'મેં નોઝ સર્જરી કરાવી છે. મારું નાક તૂટી ગયું હતું અને ઘણું જ વિચિત્ર દેખાતું હતું. હું મારી પહેલી ફિલ્મમાં તૂટેલાં નાક સાથે જ જોવા મળી હતી. પછી મેં સર્જરી કરાવી હતી, કારણ કે હું સુંદર દેખાવવા માગતી હતી. જો હું મારો ચહેરો સુંદર બનાવવા માગું છું તો પ્રોબ્લમ શું છે? હું કેવી દેખાઉં છું અને કેવી નથી દેખાતી, આ વાત કોઈને જસ્ટિફાઇ કરી શકું નહીં. મારી બૉડી છે અને હું તેને મને ગમે તે રીતે રાખી શકું છું.'

ચાહકો માને છે કે મારો ચહેરો વિદેશી જેવો છે શ્રુતિએ એમ પણ કહ્યું હતું, 'હું આ બધી વાતોને પ્રમોટ કરતી નથી. જો તમે આને કરાવવા માગો છો તો કરાવો નહીંતર ના કરો, પરંતુ હું જે કરવા માગું છું, તે મને કરવા દો. ચાહકો તો એમ કહે છે કે મારો ચહેરો વિદેશી જેવો દેખાય છે. તેની પાસે ટેલેન્ટ છે, પરંતુ તે ભારતીય લાગતી નથી. જોકે, મેં જ્યારથી ફિલ્મ કરવાની શરૂઆત કરી, ત્યારથી મને ગામડાંની યુવતીના પાત્રો વધુ મળ્યા છે.'

Read more

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

અહાન-અનિતની રિયલ લાઇફ લવસ્ટોરી; મોલનો રોમાન્સ કેમેરામાં કેદ થયો

'સૈયારા'એ કમાણીના સંદર્ભમાં ઘણા નવા રેકોર્ડ બનાવ્યા છે અને ફિલ્મ બ્લોકબસ્ટર બની છે. ફિલ્મ બાદ અહાન પાંડે અને અનિત પડ્ડા રાતોરાત

By Gujaratnow
રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ સેશન્સ કોર્ટે આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કર્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં સેશન્સ કોર્ટ દ્વારા આરોપી ધવલ ઠક્કરના જામીન ના મંજૂર કરવામાં આવ્યા છે. કેસ ચાર્જ ફ્રેમ થયા બાદ

By Gujaratnow
૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

૫૫૦ ખેડૂતોને આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજનાની તાલીમ આપવામાં આવી

આર્ટ ઑફ લિવિંગના વાસદ આશ્રમ ખાતે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત ૫૫૦ થી વધુ ખેડૂતો માટે વિશેષ તાલીમ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્

By Gujaratnow