શ્રીનાથજીમાં મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ થઈ

શ્રીનાથજીમાં મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ થઈ

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર અનંતની સગાઈ એન્કોર હેલ્થકેરના CEO વિરેન મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે થઈ છે. રાજસ્થાનના શ્રીનાથજી ખાતે બંનેના પરિવારજનો અને નજીકના સંબંધીઓની હાજરીમાં સગાઈની વિધિ કરવામાં આવી હતી.

અંબાણી પરિવારે તેમની પુત્રી ઈશા અંબાણીનાં સંતાનની ખુશીમાં શ્રીનાથજી મંદિરમાં વિશેષ પૂજા-પાઠ અને નગર મિજબાનીનું પણ આયોજન કર્યું છે. મુકેશ અંબાણી નાના બન્યાની ખુશીમાં નાથદ્વારા શહેરના દરેક ઘરે મીઠાઈનાં પેકેટ વહેંચશે.

પરિવાર તરફથી સ્થાનિક આદિવાસી પરિવારોને ભોજન માટેનું પ્રથમ આમંત્રણ મોકલવામાં આવ્યું હતું. શ્રીનાથજી મંદિર પુષ્ટિ માર્ગનું મુખ્ય સ્થાન છે અને અંબાણી પરિવારને આ મંદિરમાં ખૂબ જ શ્રદ્ધા છે. જ્યારે અહીં અન્નકૂટ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે ત્યારે આદિવાસીઓને પ્રથમ અધિકાર છે. આ સમગ્ર કાર્યક્રમને પાલના મનોરથ અને ચંવરી મનોરથ કહેવામાં આવે છે. પાલના મનોરથ સંતાન પ્રાપ્તિની ખુશીમાં કરવામાં આવે છે, જ્યારે ચંવરી મનોરથ શુભ કાર્યક્રમોના પ્રસંગે કરવામાં આવે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow