વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

વડોદરાના સામુહિક આપઘાત મામલે ચોંકાવનારો ખુલાસો: પત્ની અને વ્હાલસોયા પુત્રની હત્યા કર્યા બાદ પતિનો આપઘાત

વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં એક પરિવારે સામુહિક આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે.  

આર્થિક સંકડામણના કારણે પરિવારે કંટાળી જઇ આત્મહત્યા કરી મોત વ્હાલું કરી લીધાનું બહાર આવ્યું છે. વડોદરાના વાધોડિયામાં મિસ્ત્રી પરિવારજનોએ દીવાલ પર લખાણ લખીને આત્મહત્યા કરી લીધાનું બહાર આવ્યું છે.

પ્રિતેશ મિસ્ત્રી અને પરિવારે કર્યો આપઘાત

વડોદરામાં હૈયું હચમચાવી નાખી તેવી સામુહિક આપઘાતની ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલ દર્શનમ ઉપવન સોસાયીટમાં  રહેતા પ્રિતેશ મિસ્ત્રી નામના યુવાને પહેલા પોતાની પત્ની અને બાળકને મોતને ઘાટ ઉતાર્યા બાદ પ્રિતેશ મિસ્ત્રીએ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. આર્થિક સકળામણના કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા. બીજી બાજુ આ મામલે જાણ કરાતા પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યા તપાસ દરમિયાન ત્રણેયના મૃતદેહ મળી આવ્યા હતા.

વાઘોડિયા રોડ દર્શનમ ઉપવન સોસાયટીની ઘટના

આ ઘટનાને પગલે પરિવારજનોમાં રોકકળાટ ફેલાયો છે.આ ઉપરાંત આમાં કોઈ જવાબદાર નથી તેમ ઘરની દીવાલ પર લખ્યું હતું. આ મામલે મોટો ખુલાસો થયો છે. જેમાં પતિ પ્રિતેશ મિસ્ત્રીએ પહેલા પત્ની અને બાદમાં પુત્રનું ઓશિકાથી મોઢું દબાવી હત્યા કર્યાનો ધડાકો થયો છે. બાદમાં પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યાનું ખુલ્યું છે. જેમાં દેવું વધી જતાં આ અંતિમ પગલું ભર્યાનું બહાર આવ્યું છે.   પતિ પ્રિતેશ મિસ્ત્રીએ આપઘાત પહેલા દીવાલ પર સુસાઈડ નોટ લખી હતી.જેમાં સોરી માં, આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે તેવું લખ્યું હતું. તેમજ અમારી સુસાઈડ નોટ અમારા મોબાઈલમાં છે. તેવો પણ ઉલ્લેખ કર્યો છે.

ફેમિલી મેમ્બરને હેરાન કરતા નહિ!

વધુમાં પોલીસ કમિશનરને વિનંતી છે કે અમારી ફેમિલી મેમ્બરને હેરાન કરતા નહિ! અમે અમારી મરજીથી કર્યું છે. 'મેન રીઝન ઇઝ ઓનલી ફાઇનાન્સિયલ સિચવેશન છે' બહુ દેવું વધી ગયું છે, હવે અમારી જોડે કોઈ ઓપ્સન રહ્યો નથી.6-7 વર્ષથી અમે અલગ રહીએ છીએ, અમારી ફાઇનાન્સિયલ રિસ્પોન્સિબિલિટી અમારી સાથે એન્ડ થઈ છે. તેવા હૈયું હચમચાવી નાખતું લખાણ સુસાઇડ નોટમાં લખ્યું છે.

Read more

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow
ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારત-દક્ષિણ આફ્રિકા પહેલી T20 વરસાદને કારણે રદ

ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસની T-20 શ્રેણીની પ્રથમ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ડરબનમાં મેચ પહેલા જ વરસાદ શરૂ થઈ ગયો હતો અને ટોસ પણ થઈ શક્યો નહોતો

By Gujaratnow