કારગિલ હાઈ-વે ખોલવા મુદ્દે પાક.માં શિયા અને સુન્નીઓ આમને સામને

કારગિલ હાઈ-વે ખોલવા મુદ્દે પાક.માં શિયા અને સુન્નીઓ આમને સામને

પાકિસ્તાન હસ્તકના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં અત્યારે ઘમસાણ ચરમસીમાએ છે. કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને પાકિસ્તાની સેનાના દમન વિરુદ્ધ લઘુમતી શિયાઓએ બળવો કર્યો છે. પહેલી વાર આ વિસ્તારનાં શિયા સંગઠનોએ સેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ભારતથી લગભગ 90 કિલોમીટર દૂર સ્કાર્દુમાં શિયા સમાજના લોકો ભારત તરફ જનારા કારગિલ હાઈ-વે ખોલવાની માગણી પર મક્કમ છે.

તેઓ હવે પાકિસ્તાની સેનાના શાસન હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેવાને બદલે ભારતમાં જવા ઇચ્છે છે. અહીં લગભગ 20 લાખની વસ્તીમાંથી 8 લાખ શિયાઓને વિદ્રોહ કરતાં જોઈને સેનાના 20 હજારથી વધુ જવાનો તહેનાત કરાયા છે. કલમ 144 લાગુ કરવા છતાં સ્કાર્દુ, હુંજા, દિયામીર અને ચિલાસ શિયા સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. મોબાઇલ ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

બળવો રોકવા માટે આર્મીના વડા મુનીરે ઉલેમાને મોકલ્યા
ખુલ્લેઆમ બળવાને જોઈને પાકિસ્તાની આર્મીના વડા આસિમ મુનીરે સોમવારે ઇસ્લામાબાદથી ચાર મુસ્લિમ ઉલેમાને ગિલગિટ-બાલ્ટિસ્તાન મોકલ્યા છે. સેનાની વધારાની બટાલિયન પણ બળવો રોકવામાં નિષ્ફળ જતાં મુનીરે આ પગલું લેવું પડ્યું હતું. સ્કાર્દુના એક શિયા રહીશનું કહેવું છે કે આર્મીએ બહુ મોડું કર્યું છે, હવે અમે પીછેહઠ કરવાના નથી.
પાકિસ્તાનના ત્રીજા રાજ્યમાં બળવાનું જોર વધ્યું

Read more

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

પાકિસ્તાની વહુએ પતિ, જેઠ-જેઠાણી અને નોકરને મારી નાખ્યા:ભારત પાછી ફરી તો ખબર પડી કે પ્રેગનન્ટ છે, દીકરો આર્મીમાં ઓફિસર બન્યો

કાશ્મીરના કાપડ વેપારી હિદાયત ખાન ભારતની ગુપ્તચર એજન્સી RAWના જાસૂસ હતા. પાકિસ્તાની સેનાના અધિકારીઓમાં તેમની ઊંડી પકડ હતી. તેમને કેન્સર થયુ

By Gujaratnow
પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પ્રકૃતિ સાથે આત્મીયતા: પર્યાવરણ સંરક્ષણનું પ્રથમ પગલું

પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલતા અને તેના સંરક્ષણની ભાવના લોકોના મનમાં માત્ર શિક્ષણ દ્વારા જ વિકસિત થઈ શકે છે. એવું શિક્ષણ, જે માત્ર માહિતી આપવા

By Gujaratnow
ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

ભારતના માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના સા

By Gujaratnow