કારગિલ હાઈ-વે ખોલવા મુદ્દે પાક.માં શિયા અને સુન્નીઓ આમને સામને

કારગિલ હાઈ-વે ખોલવા મુદ્દે પાક.માં શિયા અને સુન્નીઓ આમને સામને

પાકિસ્તાન હસ્તકના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં અત્યારે ઘમસાણ ચરમસીમાએ છે. કટ્ટરપંથી સુન્ની સંગઠનો અને પાકિસ્તાની સેનાના દમન વિરુદ્ધ લઘુમતી શિયાઓએ બળવો કર્યો છે. પહેલી વાર આ વિસ્તારનાં શિયા સંગઠનોએ સેના વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. ભારતથી લગભગ 90 કિલોમીટર દૂર સ્કાર્દુમાં શિયા સમાજના લોકો ભારત તરફ જનારા કારગિલ હાઈ-વે ખોલવાની માગણી પર મક્કમ છે.

તેઓ હવે પાકિસ્તાની સેનાના શાસન હેઠળના ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં રહેવાને બદલે ભારતમાં જવા ઇચ્છે છે. અહીં લગભગ 20 લાખની વસ્તીમાંથી 8 લાખ શિયાઓને વિદ્રોહ કરતાં જોઈને સેનાના 20 હજારથી વધુ જવાનો તહેનાત કરાયા છે. કલમ 144 લાગુ કરવા છતાં સ્કાર્દુ, હુંજા, દિયામીર અને ચિલાસ શિયા સંગઠનોનું પ્રદર્શન ચાલુ છે. મોબાઇલ ઇન્ટરનેટ ઉપર પણ પ્રતિબંધ મૂકી દીધો છે.

બળવો રોકવા માટે આર્મીના વડા મુનીરે ઉલેમાને મોકલ્યા
ખુલ્લેઆમ બળવાને જોઈને પાકિસ્તાની આર્મીના વડા આસિમ મુનીરે સોમવારે ઇસ્લામાબાદથી ચાર મુસ્લિમ ઉલેમાને ગિલગિટ-બાલ્ટિસ્તાન મોકલ્યા છે. સેનાની વધારાની બટાલિયન પણ બળવો રોકવામાં નિષ્ફળ જતાં મુનીરે આ પગલું લેવું પડ્યું હતું. સ્કાર્દુના એક શિયા રહીશનું કહેવું છે કે આર્મીએ બહુ મોડું કર્યું છે, હવે અમે પીછેહઠ કરવાના નથી.
પાકિસ્તાનના ત્રીજા રાજ્યમાં બળવાનું જોર વધ્યું

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow