સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

સતત ચોથા વર્ષે શેત્રુંજી ડેમ ઓવરફ્લો

ભાવનગર ઉપરાંત અમરેલી અને જૂનાગઢ પંથકમાં આ વર્ષે અવિરત મેઘમહેર વરસતી રહી છે અને પરિણામે સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ શેત્રુંજી ડેમ 100 ટકા ભરાઇ જતા આજે રાત્રે 9 કલાકે આ મહાકાય ડેમના 20 દરવાજા એક ફૂટ ખોલવામાં આવતા જ એક અભૂતપૂર્વ વિક્રમ રચાયો હતો. આ ડેમનું નિર્માણ થયું ત્યાર બાદ એક પણ વખત આ ડેમ સતત ચાર વર્ષ ખોવરફ્લો થયો ન હતો પણ છેલ્લાં ચાર વર્ષ, 2020થી 2023, ચારેય વર્ષે આ ડેમ ઓવરફ્લો થતા એક જ ઇતિહાસ સર્જાયો છે.

સાથે ભાવનગર જિલ્લામાં પાક અને પીવાના પાણીની સમસ્યાનો નિકાલ થયો છે. શેત્રુંજી ડેમ 100% ભરાઇ ગયેલ છે. હાલની સપાટી 34 ફૂટ છે અને પાણીની આવક 1800 કયૂસેક થયેલ હોય ડેમના હેઠવાસમાં તથા નદી કાંઠે આવેલ ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવે છે. ગત વર્ષે આ ડેમ 15 સપ્ટેમ્બરે છલકાયો હતો તો આ વર્ષે વધુ મેઘમહેરને લીધે 56 દિવસ પૂર્વે 21 જુલાઇએ આ ડેમ છલકાયો છે. આ ડેમમાં સવારથી પાણીની આવક 28,600 ક્યૂસેક હતી. તે આજે રાત્રે ઘટીને 1800 ક્યસેક થઇ ગયો હતો. શેત્રુંજી ડેમની નહેરો ડાબા અને જમણા બન્ને કાંઠે આવેલી છે.

ડાબા કાંઠાની નહેરની લંબાઈ 96 કિ.મી.ની છે જેની પાણીની વહન શક્તિ 14.72 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે તો જમણા કાંઠાની નહેરની લંબાઈ 57 કિ.મી.ની છે જેમાં પાણીની વહનશક્તિ 19.68 ઘનમીટર પ્રતિ સેકન્ડની છે. 12 હજાર હેક્ટર જેટલી જમીનમાં આ પાણીથી સિંચાઈને લાભ મળે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow