અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે

અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં, બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે

મોરબીમાં ઝૂલતા બ્રિજ પડવાની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય સ્થળો પર આવેલા બ્રિજોને લઇને પણ સવાલો ઉઠ્યા છે. જે બાદ તંત્રની કામગીરીની પણ પોલ ખુલી રહી છે. મોરબી જેવી અમદાવાદમાં દુર્ઘટના ન સર્જાય તે માટે તંત્ર અગમચેતી જાય તો સારૂ. અમદાવાદના નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે જેને લઈ સ્થાનિકો દ્વારા અનેક સવાલ પણ કરવામાં આવી રહ્યાં છે.

શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમા
મોરબી જેવી દુર્ઘટનાની રાહ અમદાવાદ જોતું હોય તેવું વર્તમાનમાં તો જણાઈ રહ્યું છે. નારોલ વિશાલાને જોડતો શાસ્ત્રી બ્રિજ ખખડધજ હાલતમાં છે. જે બ્રિજની હાલત અતિ ગંભીર છતાં તંત્ર આંખ આડા કાન કરી ઘોર નિદ્રામાં હોય તેવું વર્તમાનમાં જણાઈ રહ્યું છે. જે બ્રિજ પરથી મોટી સેખ્યામાં વાહન ચાલકો પસાર થાય છે. જાણે કે AMC અને સત્તાધીશો મોટી હોનારતની રાહ જોઈ રહ્યાં હોય તેમ જે બાબતે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યાં નથી. બ્રિજના સમારકામને લઈ બેદરકારી દાખવી રહ્યાં છે.  

બ્રિજના સમારકામને લઈ સવાલો
બ્રિજના સમારકામને લઈ વર્તમાનમાં સવાલો ઉઠી રહ્યાં છે. શું અમદાવાદમાં પણ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે? કે પછી શાસ્ત્રી બ્રિજની હાલત બિસ્માર હોવા છતાં તંત્ર શું કરી રહ્યું છે? તંત્રને સમગ્ર બાબતથી અંધકારમાં છે. જાણ છે તો બ્રિજના સમારકામમાં આળસ દાખવી રહ્યું છે તંત્ર? લોકો સવાલો કરી રહ્યા છે કે, હજુ કેટલાક નિર્દોષો તંત્રની બેદરકારીનો ભોગ બનશે? લોકો તંત્રને સવાલ કરી રહ્યાં છે કે, મોરબીમાંથી AMC શિખ લેશે?, શાસ્ત્રી બ્રિજ ક્યારે થશે રિપેર? સવાલો ઉઠી રહ્યાં છે કે, શાસ્ત્રી બ્રિજમાં દુર્ઘટના રોકી શકાશે?. દુર્ઘટના અટકાવાવ AMC શું કરશે?, AMCના સત્તાધિશો બ્રિજ ક્યારે જોશે? AMCના સત્તાધિશો ACમાંથી બહાર નિકળશે? બ્રિજને લઈ લોકોના અનેક સવાલો ઉઠી રહ્યાં છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow