શરીફ પરિવાર નવા પાક. આર્મી ચીફની વરણી કરશે

શરીફ પરિવાર નવા પાક. આર્મી ચીફની વરણી કરશે

હવે પાકિસ્તાનનું રાજકારણ નવા આર્મી ચીફની નિમણૂકને લઈને ગરમાયું છે. જનરલ કમર જાવેદ બાજવાનો કાર્યકાળ 29 નવેમ્બરે પૂરો થશે. પાક. સરકાર ટોચના સ્તરે બેઠક યોજી રહી છે. પીએમ શાહબાઝ નાટકીય રીતે ઈજિપ્તથી પાક. પાછા ન ફરી કતાર જઈને ફ્લાઈટમાં સીધા લંડન પહોંચી ગયા.

જોકે તેમણે ઈજિપ્તથી પાક. પરત ફરવા અંગે ટવીટ પણ કરી હતી. લંડનમાં શરીફ પરિવારના દરેક સભ્યો એકઠાં થયા છે.નવાઝ શરીફ અને તેમની દીકરી મરિયમ નવાઝ પહેલાથી જ લંડનમાં હતા. રાજકીય નિષ્ણાત મતીન હૈદરે કહ્યું કે નવા આર્મી ચીફનું નામ નક્કી કરવા અંગે નવાઝ દખલ કરવા માગે છે. તેનાથી તેમના બે હિત જોડાયેલા છે. પ્રથમ - પોતાની ટૂંક સમયમાં પાક. વાપસી અને બીજો- ઈમરાનના રાજકીય હુમલાથી સુરક્ષાચક્ર બનાવવો.

પાક. આર્મીની મીડિયા વિંગ ઈન્ટર સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ(ISPR)એ જનરલ બાજવાના સેવા વિસ્તારની અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધો છે. ISPRએ સિયાલકોટ અને મંગલા ગેરિસન પહોંચેલા જનરલ બાજવાનો ફોટો જાહેર કર્યો હતો. ISPRએ કહ્યું કે આ બાજવાની ફેરવેલ પાર્ટી હતી.

બાજવા બાદ આર્મી ચીફ બનવાની રેસમાં લે.જનરલ આસીમ મુનીર સૌથી વરિષ્ઠ છે. મુનીર વર્તમાન આર્મી ચીફ બાજવાના નજીકના છે. મુનીર આઈએસઆઈ ચીફ પણ રહી ચૂક્યા છે પણ તત્કાલીન પીએમ ઈમરાન ખાનની નાપસંદને લીધે મુનીરને 8 મહિનામાં હટાવી દેવાયા હતા.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow