9 ઓક્ટોબરે શરદ પૂનમ

9 ઓક્ટોબરે શરદ પૂનમ

રવિવાર, 9 ઓક્ટોબરના રોજ આસો મહિનાની પૂનમ છે. જેને શરદ પૂનમ કહેવામાં આવે છે. ધર્મ-કર્મ સાથે જ આયુર્વેદમાં પણ શરદ પૂનમનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છે. માન્યતા છે કે શરદ પૂનમની રાતે દેવી લક્ષ્મી પૃથ્વી ઉપર ભ્રમણ કરે છે. આ સમયગાળા દરમિયાન દેવી બધાને પૂછે છે કે ‘કો જાગૃતિ’ એટલે કોણ જાગી રહ્યું છે? આ કારણે શરદ પૂનમને કોજાગર પૂનમ પણ કહેવામાં આવે છે.

ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે શરદ પૂનમની રાતે ચંદ્રનો પ્રકાશ ઔષધીય ગુણોથી ભરપૂર રહે છે. ચંદ્રનો પ્રકાશ આપણાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ કારણે આ પૂનમની રાતે ઘરની બહાર ચંદ્રનો પ્રકાશમાં ખીર પકવવાની પરંપરા છે. ઘરની બહાર ખીર બનાવવાથી ચંદ્રના કિરણો ખીર ઉપર પડે છે, જેનાથી ખીરમાં ઔષધીય ગુણ આવી જાય છે.

ખીરની મિઠાસથી આપણને ગ્લૂકોસ મળે છે, જેથી તરત એનર્જી મળે છે, પરંતુ જે લોકોને શુગરને લગતી બીમારી છે, તેમણે ખીરનું સેવન કરવાથ બચવું જોઈએ. ખીરમાં દૂધ, ચોખા સાથે સૂકા મેવા અને કેસર મિક્સ કરવામાં આવે છે, આ બધી જ સામગ્રી આપણને ઊર્જા આપે છે અને ભૂખ શાંત કરે છે. ખીરના સેવનથી મન શાંત થાય છે અને પોઝિટિવિટી વધે છે.

Read more

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

પોલીસને જોતા જ લોકોએ ચાની ભરેલી રકાબી મુકી ભાગ્યા

દિવાળીના તહેવારથી સાત હત્યાઓ, લૂંટ અને કુખ્યાત ગેંગો વચ્ચે ફાયરિંગ જેવી ઘટનાઓથી લુખ્ખાઓએ રાજકોટ શહેરને બાનમાં લેતા પોલીસ તંત્ર સફા

By Gujaratnow
સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

સસ્તા અનાજના દુકાનદારોની હડતાળ સમેટાઈ

ગુજરાતના વ્યાજબી ભાવના દુકાનદારોની પડતર માંગણીઓ અંગે આજે (4 નવેમ્બર) રાજ્ય સરકાર સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યના પુરવઠા કેબિ

By Gujaratnow
એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

એક્સપાયર્ડ ફુડને નદી-તળાવોમાં ફેંકવા પર હવે સંપૂર્ણ પ્રતિબંધ

સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ જપ્ત કરાયેલ રિજેક્ટેડ અને એક્સપાયર્ડ થઈ ગયેલી ખાદ્ય ચીજોને નદીઓ, તળાવો અથવા ખુ

By Gujaratnow