સંવેદનશીલતા નબળાઈ નહીં તાકાત છે, દબાણમાં તે છુપાવવાથી એના લાભથી વંચિત થઈ શકો છો

સંવેદનશીલતા નબળાઈ નહીં તાકાત છે, દબાણમાં તે છુપાવવાથી એના લાભથી વંચિત થઈ શકો છો

સંવેદનશીલતા એક એવો ગુણ છે જેને સામાન્યપણે મહત્ત્વ અપાતું નથી. સેન્સિટિવ રેફ્યૂજ વેબસાઇટના સંસ્થાપક આન્દ્રે સોલો અને જેન ગ્રેનમેન અનુસાર પુરુષોને કહેવાય છે કે તેઓએ બિલકુલ પણ સંવેદનશીલ ન હોવું જોઇએ જ્યારે મહિલાઓને સલાહ અપાય છે કે તેઓએ પણ વધુ સંવેદનશીલ ન થવું જોઇએ. તેમના મતે તમારા પર સંવેદનશીલતાના ગુણને છૂપાવવાનું દબાણ હોય શકે છે, પરંતુ તમે એવું ન કરી શકો, તેનો પ્રયાસ કરવો એ તમને જીવનની આ ભેટથી વંચિત કરશે.

મનોવૈજ્ઞાનિકો માને છે કે વ્યક્તિત્વની ખાસિયત તરીકે સંવેદનશીલ હોવાનો અર્થ એ છે કે તમે આસપાસથી વધુ માહિતી લો છો અને તેનો વધુ ઉપયોગ કરો છો. મગજના સ્તર પર તે માહિતીને વધુ ઊંડાણપૂર્વક પ્રોસેસ કરે છે. તે દુનિયાને જોવાના તમારા દૃષ્ટિકોણને બદલે છે. તમે જે અન્ય લોકો જોઇ ન શકે, અનુભવી ન શકે તે જોઇ શકો છો.

નિર્ણય લેવાની ક્ષમતા: સ્ટડી અનુસાર યાદશક્તિ તેમજ ઓળખ કરવાની ખાસિયતમાં પણ સંવેદનશીલ લોકો વધુ અવ્વલ હતા. ખાસ કરીને નોટિસ કરવામાં, પરિણામનું અનુમાન કરવામાં તેમજ ચતુર નિર્ણય લેવામાં.

બુસ્ટ ઇફેક્ટ: સંવેદનશીલતાનો સૌથી મોટો લાભ બુસ્ટ ઇફેક્ટ છે. કોઇની મદદ કરવાની વસ્તુથી તેઓને વધુ પ્રોત્સાહન મળે છે. તેઓ પોતાની આસપાસ એક માહોલ બનાવે છે. સંશોધકોના મતે સંવેદનશીલ લોકો દરેક પ્રકારની તાલીમમાં વધુ ગ્રહણ કરે છે.

ટ્રેનિંગ બાદ સંવેદનશીલ લોકોએ છૂટાછેડા ટાળ્યા
2022માં છૂટાછેડાની અણી પર પહોંચેલાં દંપતીઓ પર સ્ટડીમાં તેમના સંબંધો સુધારવા પર તાલીમ અપાઇ. ત્યારબાદ પર્સનાલિટી ટેસ્ટમાં જાણવા મળ્યું કે જે દંપતીઓએ છૂટાછેડાના વિચાર બદલ્યા, તેમાંથી કોઇ એક સંવેદનશીલ સાથી હતા. તે માત્ર સંબંધો સુધી સીમિત નથી પરંતુ નેતૃત્વ અને સંચાલનના ક્ષેત્રમાં પણ લાગુ થાય છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow