સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ

સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ

ગુરુવારે (8 જૂન) શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે. સેન્સેક્સ 294 પોઈન્ટ ઘટીને 62,848 પર બંધ રહ્યો હતો. તે જ સમયે, નિફ્ટી પણ 91 પોઈન્ટ ઘટીને 18,634ના સ્તર પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 24 ઘટ્યા અને 6 વધ્યા. એનટીપીસીનો શેર આજે 3.10% વધ્યો છે.

બેન્કિંગ, આઈટી, ઓટો, ફાર્મા, એફએનસીજી, મીડિયા, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટર નુકસાન સાથે બંધ થયા છે. માત્ર એનર્જી અને મેટલ્સ સેક્ટરના શેરમાં જ વધારો થયો હતો. આજે યુએસ ડોલર સામે રૂપિયો 5 પૈસા નબળો પડીને રૂ.82.57 પર બંધ રહ્યો હતો. બુધવારે તે રૂ.82.52 પર બંધ થયો હતો.

L&T ફાઇનાન્સે ડિવિડન્ડ જાહેર કર્યું
L&T ફાઇનાન્સની બોર્ડ મીટિંગમાં ડિરેક્ટરોએ શેરધારકોને શેર દીઠ રૂ. 2નું ડિવિડન્ડ ચૂકવવાનો નિર્ણય કર્યો છે. આજે, L&T ફાઇનાન્સ હોલ્ડિંગના શેરમાં રૂ. 1.90 એટલે કે 1.77%નો ઘટાડો જોવા મળ્યો છે. આ પછી તે રૂ.105.65 પર બંધ થયો.

રેપો રેટ 6.50% પર યથાવત
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે રેપો રેટમાં વધારો નહીં કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર રહેશે. આરબીઆઈએ સતત બીજી વખત દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે આજે મોનેટરી પોલિસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપી હતી.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow
જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow