ગેરકાયદેસર ગુટકાનો જથ્થો જપ્ત

ગેરકાયદેસર ગુટકાનો જથ્થો જપ્ત

વાપીથી પનવેલ જઈ રહેલો ગેરકાયદેસર ગુટકાના જથ્થાને નવસારીની એલસીબીની ટીમે ઝડપી પાડ્યો હતો. કુલ 5 લાખથી વધુના મુદ્દામાલ સાથે બે આરોપીને ઝડપી વધુ તપાસ માટે ગણદેવી પોલીસને સોંપવામાં આવ્યાં છે.


પોલીસે બાતમીના આધારે ગુટકાનો જથ્થો ઝડપ્યો​​​​​​​
નેશનલ હાઇવે નંબર 48ના મટવાડ ગામ પાસે પોલીસને બાતમી મળતા ચેકિંગમાં હતી. તે દરમિયાન મુંબઈ-અમદાવાદ રૂટ પર ટેમ્પો ચાલક ભૂલમાં નવસારી જિલ્લાની હદમાં આવી જતા તે ચીખલી થઈને સાપુતારા થઈ મહારાષ્ટ્ર જવાની ફિરાકમાં હતો તે પહેલા જ નવસારી જિલ્લા એલસીબીની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. ટેમ્પો રોકી તેમાં તપાસ કરતા 5 લાખ 77 હજાર 280 રૂપિયાનો ગુટખાનો મુદ્દામાલ જે બિલ વગર વહન થઈ રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં આ સમગ્ર મુદ્દામાલ ડ્રાઇવર અને ક્લીનર પનવેલ પહોંચાડવાની માહિતી મળી હતી. જેથી એલસીબીએ ગેરકાયદેસર ગુટખાના મુદ્દા માલ સાથે ટેમ્પો અને અન્ય સામાન મળી કુલ 8,90,230નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


​​​​​​​​​​​​​​પોલીસે વધુ તપાસ હાથ ધરી
ગેરકાદેસર ગુટખાના જથ્થાને એલસીબી એ ઝડપી પાડી તપાસ ગણદેવી પોલીસને સોંપવામાં આવી છે. ગણદેવી પોલીસે વધુ તપાસ માટે આરોપીને મહારાષ્ટ્ર લઈ ગઈ છે. આ ગુટકાનો મુદ્દામાલ કોના ઇશારે અને ક્યાંથી ક્યાં મોકલવામાં આવી રહ્યો હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow