વિજ્ઞાનીઓએ અવકાશી વીજળીનો રસ્તો બદલ્યો

વિજ્ઞાનીઓએ અવકાશી વીજળીનો રસ્તો બદલ્યો

સ્વિત્ઝર્લેન્ડના વિજ્ઞાનીઓને મોટી સફળતા મળી છે. તેઓ લેઝરની મદદથી અવકાશમાંથી પડતી વીજળીનો રસ્તો બદલવામાં સફળ રહ્યા છે. આ ટેક્નિક વીજળી પડવાથી ઇમારતોને થતાં નુકસાનને અટકાવવામાં કારગર સાબિત થશે. વિજ્ઞાનીઓએ જણાવ્યું કે ઉત્તર-પૂર્વ સ્વિત્ઝર્લેન્ડમાં માઉન્ટ સેન્ટિંસના પહાડો પરથી આકાશ તરફ લેઝર મારફતે વીજળીનો રસ્તો બદલ્યો છે.

આ ટેક્નિકમાં વધુ સંશોધન બાદ તેને મહત્ત્વપૂર્ણ ઇમારતોની સુરક્ષા માટે તહેનાત કરી શકાય છે અને વીજળી પડવાથી સ્ટેશનો, એરપોર્ટ, વિન્ડ ફાર્મા અને એવી અન્ય જરૂરી ઇમારતોને નુકસાનથી બચાવી શકાય છે. તેનો ફાયદો ઇમારતો ઉપરાંત કોમ્યુનિકેશનનાં ઉપકરણો તેમજ વીજળીની લાઇનો જેવી મહત્ત્વપૂર્ણ સુવિધાઓની સુરક્ષાની સાથે સાથે દર વર્ષે હજારો લોકોનો જીવ પણ બચાવી શકાશે. આ પ્રયોગ માઉન્ટ સેન્ટિસ પર એક ટેલિકોમ ટાવર પર કરાયો હતો, જેને યુરોપમાં વીજળી પડવાથી સૌથી વધુ નુકસાન પહોંચે છે.

2021માં બે મહિના ચાલેલા આ પ્રયોગ દરમિયાન ખૂબ જ તીક્ષ્ણ લેઝર કિરણોને 1,000 વાર પ્રતિ સેકન્ડના દરથી આકાશ તરફ ફેંકવામાં આવ્યા હતા. આ લેઝરનો ટાર્ગેટ વીજળી હતી. જ્યારે સિસ્ટમ સક્રિય હતી ત્યારે ચાર વાર વીજળી પડી હતી અને તેના પર સચોટ નિશાન સાધવામાં આવ્યું હતું. પહેલી વાર તો સંશોધકોએ બે ઝડપી કેમેરાની મદદથી વીજળીના રસ્તાને બદલવાની પ્રક્રિયાને રેકોર્ડ કરી હતી.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow