પેટ્રોલપંપે નોટબંધીના દશ્ય તાજા થયા!

પેટ્રોલપંપે નોટબંધીના દશ્ય તાજા થયા!

શુક્રવારે રૂ. 2 હજારની નોટ પાછી ખેંચી લેવાની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે જ નોટબંધીના દશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો હતો. પેટ્રોલપંપ, સોની બજારમાં, ઠંડાપીણા, આઈસ્ક્રીમની દુકાને રૂ. 2 હજારની નોટ જ લોકોએ વટાવી હતી. જો કે કયાંક તેનો સ્વીકાર થયો હતો. તો કોઈએ સ્વીકારવાની ના પાડી હતી. રૂ. 2 હજારની નોટ બંધ થવાની જાહેરાત થતાની સાથે જ સૌથી વધુ ઈન્કવાયરી સોની બજારમાં થઇ હતી. અનેક લોકોએ ફોન કરીને પૂછ્યું હતું કે, મારી પાસે રૂ. 2 હજારની નોટ છે. સોનું ખરીદવું છે તમે લેશો? તો બીજી બાજુ સોનાના ભાવમાં પણ વધારો આવ્યો હતો.

નોટબંધીના દશ્ય તાજા થયા હોય તેવો માહોલ સર્જાયો
રાજકોટમાં રાત્રે સોનાનો ભાવ રૂ. 62,750એ પહોંચ્યો હતો. પેટ્રોલપંપમાં સામાન્ય રીતે ત્રણ દિવસમાં રૂ. 2 હજારની જેટલી નોટ ભેગી થાય છે તેટલી નોટ શુક્રવારે રાત્રે 3.00 કલાકમાં જ ભેગી આવી હોવાનું ફિલરમેન અકરમભાઈ જણાવે છે. સિવાય પેટ્રોલ પંપમાં પણ જે કોઈ પેટ્રોલ પુરાવવા માટે આવ્યા હતા તેમાં રૂ. 2 હજારની નોટ લઇને આવનારની સંખ્યા વધારે હોવાનું સંચાલકોએ જણાવ્યું હતું. વધુમાં તેના જણાવ્યાનુસાર કેટલાકે તો રૂ. 50 નું પેટ્રોલ પુરાવ્યું હતુ અને પેમેન્ટમા રૂ. 2 હજારની નોટ આપી હતી.

Read more

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

રાજકોટ-જામનગર રોડ પર સાંઢિયાપુલની કામગીરી વખતે ટેકા ખસી જતા સ્લેબ નમી ગયો

જૂનાગઢના માંગરોળ તાલુકામાં બ્રિજનો સ્લેબ ધરાશાયી થયાના 17 દિવસમાં જ રાજકોટમાં નિર્માણાધીન બ્રિજમાં ગાબડું પડ્યું છે. રાજકોટ-જામનગર હાઈવે પર નિ

By Gujaratnow
ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ભારતમાં બનેલા iPhone પર અમેરિકામાં 25% ટેરિફ નહીં

ટ્રમ્પની નવી ટેરિફ નીતિ ભારતમાંથી અમેરિકા મોકલવામાં આવતા iPhones પર કોઈ અસર કરશે નહીં. અમેરિકન રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ, 2025થી ભારતીય માલ પર 25% ટેરિફની જાહે

By Gujaratnow
અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં હ્યુમન ફેક્ટર સ્પેશિયાલિસ્ટ સામેલ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું કે અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસમાં માનવ પરિબળ નિષ્

By Gujaratnow