રાધા રાણીની પૂજા માટે શનિવારે બપોરનો સમય શુભ રહેશે

રાધા રાણીની પૂજા માટે શનિવારે બપોરનો સમય શુભ રહેશે

હિંદુ કેલેન્ડર મુજબ રાધા અષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે રાધા રાણીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની જેમ રાધા અષ્ટમીનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે. તેને રાધા જયંતિ પણ કહેવામાં આવે છે. રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાના, વૃંદાવન અને મથુરામાં ઉજવવામાં આવે છે. જાણો રાધા અષ્ટમીનો શુભ સમય, પૂજા પદ્ધતિ, મંત્ર અને મહત્વ.

રાધા અષ્ટમી 2023નો શુભ સમયઃ-

ભાદરવા સુદ અષ્ટમી 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 01.35 કલાકથી શરૂ થાય છે.
અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે - તે 23 સપ્ટેમ્બરે બપોરે 12:17 વાગ્યે સમાપ્ત થશે.
રાધા અષ્ટમી તિથિ- ઉદયા તિથિના કારણે રાધા અષ્ટમીનો તહેવાર 23 સપ્ટેમ્બર, શનિવારે ઉજવવામાં આવશે.
રાધા રાણીની પૂજા માટે શુભ સમય - સવારે 11 થી 1.30 વાગ્યા સુધીનો રહેશે.

રાધા અષ્ટમીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, તમામ કામમાંથી નિવૃત્ત થવું, સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી રાધા રાણીનું ધ્યાન કરો અને ઉપવાસનો સંકલ્પ લો. આ પછી રાધા રાણીની મૂર્તિને એક મોટા પાત્રમાં મૂકીને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી લાકડાના બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને રાધા રાનીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી તેમને ફૂલ, માળા, સિંદૂર, અક્ષત, કુમકુમ વગેરે અર્પણ કરો અને તેમને ખીર અથવા કોઈપણ મીઠાઈ ખવડાવો. આ પછી, ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને રાધા રાણીના મંત્ર અને ચાલીસાના પાઠ કરીને નિર્ધારિત રીતે આરતી કરો. છેલ્લે, ભૂલો અને અવગણના માટે માફી માગો. આખો દિવસ ફળ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે ઉપવાસ તોડો.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow