રાધા રાણીની પૂજા માટે શનિવારે બપોરનો સમય શુભ રહેશે

રાધા રાણીની પૂજા માટે શનિવારે બપોરનો સમય શુભ રહેશે

હિંદુ કેલેન્ડર મુજબ રાધા અષ્ટમીનો તહેવાર દર વર્ષે ભાદરવા મહિનાના સુદ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે રાધા રાણીનો જન્મ થયો હોવાનું માનવામાં આવે છે. તેથી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની જેમ રાધા અષ્ટમીનો પવિત્ર તહેવાર પણ ઉજવવામાં આવે છે. શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે. તેને રાધા જયંતિ પણ કહેવામાં આવે છે. રાધા અષ્ટમીના દિવસે રાધા રાણીની જન્મજયંતિ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ખાસ કરીને બરસાના, વૃંદાવન અને મથુરામાં ઉજવવામાં આવે છે. જાણો રાધા અષ્ટમીનો શુભ સમય, પૂજા પદ્ધતિ, મંત્ર અને મહત્વ.

રાધા અષ્ટમી 2023નો શુભ સમયઃ-

ભાદરવા સુદ અષ્ટમી 22 સપ્ટેમ્બરના રોજ બપોરે 01.35 કલાકથી શરૂ થાય છે.
અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે - તે 23 સપ્ટેમ્બરે બપોરે 12:17 વાગ્યે સમાપ્ત થશે.
રાધા અષ્ટમી તિથિ- ઉદયા તિથિના કારણે રાધા અષ્ટમીનો તહેવાર 23 સપ્ટેમ્બર, શનિવારે ઉજવવામાં આવશે.
રાધા રાણીની પૂજા માટે શુભ સમય - સવારે 11 થી 1.30 વાગ્યા સુધીનો રહેશે.

રાધા અષ્ટમીના દિવસે સૂર્યોદય પહેલા જાગી જવું, તમામ કામમાંથી નિવૃત્ત થવું, સ્નાન વગેરે કરવું અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા. આ પછી રાધા રાણીનું ધ્યાન કરો અને ઉપવાસનો સંકલ્પ લો. આ પછી રાધા રાણીની મૂર્તિને એક મોટા પાત્રમાં મૂકીને પંચામૃતથી સ્નાન કરાવો. આ પછી લાકડાના બાજોઠ પર લાલ રંગનું કપડું પાથરીને રાધા રાનીની મૂર્તિ સ્થાપિત કરો. ત્યાર પછી તેમને ફૂલ, માળા, સિંદૂર, અક્ષત, કુમકુમ વગેરે અર્પણ કરો અને તેમને ખીર અથવા કોઈપણ મીઠાઈ ખવડાવો. આ પછી, ઘીનો દીવો અને ધૂપ પ્રગટાવો અને રાધા રાણીના મંત્ર અને ચાલીસાના પાઠ કરીને નિર્ધારિત રીતે આરતી કરો. છેલ્લે, ભૂલો અને અવગણના માટે માફી માગો. આખો દિવસ ફળ ઉપવાસ કર્યા પછી બીજા દિવસે ઉપવાસ તોડો.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow