સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 7 જૂને સંકટ ચોથ હશે.

કૃષ્ણ પક્ષમાં હોવાથી આ સંકષ્ટી ચોથ હશે. બુધવારના સંયોગને કારણે આ વ્રતમાં ગણેશજીની પૂજાથી અનેક ગણું પુણ્ય મળશે. આ દિવસે બ્રહ્મા અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના કારણે આ વ્રત વધુ ખાસ બનશે.

અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશના કૃષ્ણ પિંગલ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. એટલે કે આ દિવસે ઘેરા બદામી રંગના ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી રોગો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.

મોદક અને દુર્વાથી પૂજા કરવાની રીત
જેઠ વદ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા બાર નામોથી કરવામાં આવે છે. દરેક નામ બોલ્યા પછી દુર્વા ચઢાવો. પૂજા પૂર્ણ થયા બાદ મોદકનો ભોગ અર્પણ કરો.

પદ્મ પુરાણઃ ગણેશજીને પ્રથમ પૂજાનું વરદાન મળ્યું હતું
પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન ગણેશએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં પૃથ્વીને બદલે સાત વખત ભગવાન શિવ-પાર્વતીની પરિક્રમા કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેમને દેવતાઓમાં મુખ્ય માનીને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો છે.

સંકષ્ટી ચતુર્થી અને ગણેશ પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવી દે છે. સંકષ્ટી શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિની પૂજા કરે છે. પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે. આ દિવસે ઉપવાસ કરવાનું વધુ મહત્ત્વ ધરાવે છે.

Read more

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

ગડકરીએ કહ્યું- મારું મગજ ₹200 કરોડ પ્રતિ મહિનાનું

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક કાર્યક્રમમાં પેટ્રોલમાં ઇથેનોલ ભેળવવાની ટીકાનો જવાબ આપ્

By Gujaratnow
એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપમાં ભારતની PAK પર સર્જિકલ સ્ટ્રાઈક

એશિયા કપની છઠ્ઠી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ટીમે 16મી ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 128 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. દુબઈ ઈન્ટરનેશનલ સ્ટે

By Gujaratnow
નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

નેપાળ બાદ હવે લંડનમાં પ્રદર્શન, 1 લાખ લોકો જોડાયાં

શનિવારે સેન્ટ્રલ લંડનમાં 1 લાખથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનને 'યુનાઇટ ધ કિંગડમ' નામ આપવામાં આવ્યું હતું, જેનું ને

By Gujaratnow