સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

સંકષ્ટી ચોથ, આ વ્રતમાં કૃષ્ણ પિંગાક્ષના રૂપમાં ગણેશની પૂજા કરવાની પરંપરા

દર મહિને આવતી સંકષ્ટી ચતુર્થી પર ગણેશજીની વિશેષ પૂજા અને ઉપવાસ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જેનાથી તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે. 7 જૂને સંકટ ચોથ હશે.

કૃષ્ણ પક્ષમાં હોવાથી આ સંકષ્ટી ચોથ હશે. બુધવારના સંયોગને કારણે આ વ્રતમાં ગણેશજીની પૂજાથી અનેક ગણું પુણ્ય મળશે. આ દિવસે બ્રહ્મા અને મહાલક્ષ્મી યોગ બની રહ્યો છે. જેના કારણે આ વ્રત વધુ ખાસ બનશે.

અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ગણેશના કૃષ્ણ પિંગલ સ્વરૂપની પૂજા કરવાનો નિયમ છે. એટલે કે આ દિવસે ઘેરા બદામી રંગના ગણેશની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજા કરવાથી રોગો અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.

મોદક અને દુર્વાથી પૂજા કરવાની રીત
જેઠ વદ ચતુર્થીના દિવસે ગણેશજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. આ દિવસે ગણેશજીની પૂજા બાર નામોથી કરવામાં આવે છે. દરેક નામ બોલ્યા પછી દુર્વા ચઢાવો. પૂજા પૂર્ણ થયા બાદ મોદકનો ભોગ અર્પણ કરો.

પદ્મ પુરાણઃ ગણેશજીને પ્રથમ પૂજાનું વરદાન મળ્યું હતું
પદ્મ પુરાણ અનુસાર, આ તિથિએ ભગવાન ગણેશએ કાર્તિકેય સાથે પૃથ્વીની પરિક્રમા કરવાની સ્પર્ધામાં પૃથ્વીને બદલે સાત વખત ભગવાન શિવ-પાર્વતીની પરિક્રમા કરી હતી. ત્યારે શિવજીએ પ્રસન્ન થઈને તેમને દેવતાઓમાં મુખ્ય માનીને પ્રથમ પૂજાનો અધિકાર આપ્યો છે.

સંકષ્ટી ચતુર્થી અને ગણેશ પૂજા
પુરીના જ્યોતિષાચાર્ય ડૉ. ગણેશ મિશ્રાએ જણાવ્યું કે સંકષ્ટી ચતુર્થી એટલે ચતુર્થી જે સંકટને હરાવી દે છે. સંકષ્ટી શબ્દ એ સંસ્કૃત ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે મુશ્કેલ સમયમાંથી મુક્તિ મેળવવી. આ દિવસે ભક્તો પોતાના દુ:ખમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિની પૂજા કરે છે. પુરાણો અનુસાર ચતુર્થીના દિવસે ગૌરી પુત્ર ગણેશની પૂજા કરવી ફળદાયી છે. આ દિવસે ઉપવાસ કરવાનું વધુ મહત્ત્વ ધરાવે છે.

Read more

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર

૨૩મી જૂન ‘આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ’ - વર્ષ ૨૦૩૬માં ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે ગુજરાત આતુર વર્ષ ૧૯૬૦માં રોમના ઓલિમ્પિક્સમાં ગુજરાતી હોકી

By Gujaratnow
આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

આધ્યાત્મિક ગુરુ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરજીના પ્રયાસ થકી કોલંબિયામાં શાંતિના એક દાયકાની યાત્રા અને એકતાની અનોખી ઉજવણી!

કોલંબિયાના બોગોટામાં હજારો લોકો ગુરુદેવ શ્રી શ્રી રવિશંકર સાથે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે એકઠા થયા હતા. આ વર્ષની ઉજવણીનું વિ

By Gujaratnow