આંબરડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

આંબરડીમાં સગીરાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

ગોંડલ તાલુકાના આંબરડી ગામે રહેતી અને માનસિક બીમારીથી પીડાતી સગીરાએ પોતાના ઘરે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરાના મૃતદેહને પી.એમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલના આંબરડી ગામે રહેતી અને ધો.11 માં અભ્યાસ કરતી પુજા રવજીભાઈ પરમાર (ઉ.વ.17) નામની સગીરાએ સવારે પોતાના ઘરે પંખાના હુંકમાં ચુંદડી વડે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. સગીરા માનસિક બીમારીથી પીડાતી હતી અને તેની સારવાર જામનગર સિવિલ હોસ્પિટલમાં ચાલતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સગીરાના પિતા છૂટક મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારમાં એકની એક દીકરીએ ફાંસો ખાઈ લેતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું.

Read more

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

વિકાસ કામ માટે નગરપાલિકાને એકપણ રૂપિયો ભર્યા વગર જમીન મળશે

રાજ્યની વિવિધ નગરપાલિકાઓમાં થતા વિવિધ વિકાસકામો માટે ફાળવાતી જમીનને લઈ રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. 11 પ્રકારની વિવિ

By Gujaratnow
જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરમાં સેનાએ પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર કર્યો

જમ્મુ-કાશ્મીરના સાંબામાં BSFએ રવિવારે મોડી રાત્રે એક પાકિસ્તાની ઘૂસણખોરને ઠાર માર્યો. સેનાના સૂત્રો અનુસાર, સાંબા જિલ્લામાં LoC પર સરહદ

By Gujaratnow