શાંત પડેલું રશિયા અચાનક ફરી બગડ્યું

શાંત પડેલું રશિયા અચાનક ફરી બગડ્યું

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે આખું વિશ્વ પરેશાન છે અને અર્થવ્યવસ્થા પર માઠી અસર થઈ રહી છે. બંને દેશો પાછળ જવા તૈયાર જ નથી જેના કારણે આ યુદ્ધે કેટલું ચાલશે તેને લઈને ચિંતા વધતી જ જઈ રહી છે. એવામાં આજે અચાનક રશિયા ફરી આક્રમક બન્યું હોવાના અહેવાલ વિદેશી મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે.

રશિયાએ ફરી યુક્રેન પર છોડી મિસાઇલ
રશિયા ઘણા મહિનાઓથી યુક્રેન સાથે યુદ્ધ કરી રહ્યું છે ત્યારે ફરી એકવાર બૉંબવર્ષા થઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે રશિયા આકરા પાણીએ હોય તેવું દેખાઈ રહ્યું છે. વિદેશી મીડિયાના અહેવાલો અનુસાર તાબડતોબ મિસાઈલો દ્વારા કરાયેલા હુમલાએ યુક્રેનને ધ્રુજાવી નાંખ્યું છે. માનવામાં આવી રહ્યું છે બ્લેક સી એટલે કે કાળા સમુદ્રની ઉપરથી ઓછામાં 60 જેટલી મિસાઇલ યુક્રેન પર છોડવામાં આવી છે.

લોકોને ઘરોમાં જ રહેવા આદેશ
આખા યુક્રેનમાં ફરીથી એરઍટેકના ઍલાર્મ વાગી રહ્યા છે અને મોટા શહેરોને નિશાને લીધા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. લોકોને પોત પોતાના ઘરોમાં જ રહેવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે અને સમાચાર એજન્સી AP અનુસાર મોટા પ્રમાણમાં મિસાઇલ હુમલો ત્રણ મુખ્ય શહેરો પર જ કરવામાં આવ્યા છે.

શેના પર કરાયો હુમલો?
જોકે અહીં સ્પષ્ટ કરી દેવું જરૂરી છે કે આ હુમલા માનવ વસ્તી પર નહીં પરંતુ જે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર હોય તેના પર કરવામાં આવ્યા છે જેમાં સૌથી મુખ્ય છે ઉર્જા પ્રતિષ્ઠાનો. કીવ, ખારકીવ, કૃવિય સહિતના શહેરોમાં ધમાકાના કારણે વીજળી ગુલ થઈ ગઈ છે.

Read more

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડા એ 16 જૂનને 'શ્રી શ્રી રવિશંકર શાંતિ અને આરોગ્ય દિવસ' તરીકે જાહેર

જેક્સનવિલે, ફ્લોરિડાએ ગુરુદેવ શ્રી શ્રી રવિશંકરની આજીવન સેવા અને સમજ, એકતા અને ઉપચારને પ્રોત્સાહન આપવા માટે આર્ટ ઓફ લિવિંગના સતત પ્રયાસોને મા

By Gujaratnow
ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

ગૃહમંત્રી શ્રી અમિત શાહની પ્રેસ કોન્ફરન્સના મુખ્ય મુદ્દાઓ

• એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર AI-171ની દુર્ભાગ્યપૂર્ણ ઘટનાથી સમગ્ર દેશ આઘાતમાં છે, આ અકસ્માતમાં માર્યા ગયેલા મુસાફરોના પરિવારો સાથે તમામ દેશવાસીઓ

By Gujaratnow
ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

ઉદયપુરમાં ક્રાઈમબ્રાન્ચમાં નોકરી કરતો હોવાનું કહી ગંજીવાડાના શખ્સે યુવતી પર દુષ્કર્મ આચર્યું

શહેરના કોઠારિયા મેઇન રોડ પર રહેતી અને કાયદાનો અભ્યાસ કરતી 23 વર્ષીય યુવતીએ ગંજીવાડા-9માં રહેતા દેવરાજ વાલજી ગોહિલ નામના શખ્સ સામે દુ

By Gujaratnow