રશિયાએ બાખમુત શહેરને રાખમાં ફેરવ્યું!

રશિયાએ બાખમુત શહેરને રાખમાં ફેરવ્યું!

દક્ષિણ યુક્રેનમાં યુદ્ધ ખતરનાક તબક્કામાં પહોંચી ગયું છે. રશિયા સતત હવાઈ હુમલા કરીને યુક્રેનને પાછળ ધકેલવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. દરમિયાન, રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું છે કે રશિયાએ તેના હવાઈ હુમલા દ્વારા યુક્રેનના બાખમુત શહેરને રાખના ખંઢેરમાં ફેરવી દીધું છે.

આ હુમલાઓમાં ઘણા સામાન્ય લોકો માર્યા ગયાના સમાચાર પણ છે. યુક્રેનના ડોનેત્સ્ક, લુહાન્સ્ક પ્રાંતમાં સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. ઝેલેન્સકીએ ધ્યાન દોર્યું કે બાખમુત, સોલેદાર, મેરીન્કા અને ક્રેમિન્ના શહેરોમાં એવી કોઈ જગ્યા બચી નથી જ્યાં રશિયાએ હુમલા ન કર્યા હોય.

ઝેલેન્સકીએ કહ્યું કે રશિયા મોડી રાત્રે ઈરાનમાં બનેલા કેમિકેઝ ડ્રોનથી યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. જેના કારણે ઓડેસામાં લગભગ 1.5 મિલિયન લોકો વીજળી વિના અંધારામાં જીવવા માટે મજબૂર છે. ઓડેસા ઉપરાંત, યુક્રેનના ખાર્કિવ, સુમી, ડિનિપ્રોપેટ્રોવસ્ક, ઝાપોરિઝિયા અને ખેરસાનમાં પણ હવાઈ હુમલાઓ તીવ્ર બન્યા છે.

યુક્રેનની સેનાએ માહિતી આપી છે કે રશિયાએ શુક્રવાર અને શનિવારે સતત બે દિવસમાં લગભગ 20 હવાઈ હુમલા અને 60 રોકેટ છોડ્યા છે. જેમાં 2 સામાન્ય લોકોના મોત થયા હતા અને 8 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. રશિયા પર તેના હવાઈ હુમલાથી હોસ્પિટલો, દુકાનો અને લોકોના ઘરોને નિશાન બનાવવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow