રતનપર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ 150 વિદેશી વિદ્યાર્થીનું ચેકિંગ

રતનપર સહિતના વિસ્તારોમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને લઈ 150 વિદેશી વિદ્યાર્થીનું ચેકિંગ

રાજકોટ-મોરબી રોડ પર રતનપર ગામ નજીક વિદેશી વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવાની વારંવાર મળતી ગ્રામજનોની ફરિયાદને ધ્યાનમાં રાખી રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ અને SOGએ સર્ચ કર્યું હતું. પોલીસની અલગ અલગ 6 ટીમો બનાવી રતનપર, હડાળા, ઘંટેશ્વર સહિતના વિસ્તારોમાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી NCBને સાથે રાખી સર્ચ કરવામાં આવ્યુંછે. જેમાં શંકાસ્પદ વ્યક્તિને પોલીસ સ્ટેશન લાવી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવશે. કુલ 150 જેટલા વિદ્યાર્થીની તપાસ કરવામાં આવી છે.

ગ્રામજનો ગેરકાયદે પ્રવૃત્તિની ફરિયાદ કરતા: SOG રાજકોટ શહેર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર સંજયસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સવારથી વિદેશી વિદ્યાર્થીઓ અંગે સર્ચ શરૂ કરવામાં આવ્યું છે. રાજકોટમાં ખાનગી યુનિવર્સિટીમાં અભ્યાસ અર્થે આવતા વિદેશી વિદ્યાર્થીઓ મોરબી રોડ પર રતનપર, હડાળા, ગૌરીદળ અને જામનગર રોડ પર ઘંટેશ્વર વિસ્તારમાં રહેતા હોવાની માહિતી છે. જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ગેરકાયદે પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની ફરિયાદ વારંવાર ગ્રામજનો દ્વારા કરવામાં આવતી હોવાથી આજે NCB ટીમને સાથે રાખી અલગ અલગ 6 ટીમો દ્વારા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. જેમાં વિદેશી નાગરિકના પાસપોર્ટ અને વિઝા વેરિફિકેશન કરવામાં આવી રહ્યા છે.

Read more

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં 3 કિમી લાંબી ગણપતિ વિસર્જન યાત્રા પૂર્ણ

ગોધરામાં ગણેશ ઉત્સવનું પાંચ દિવસનું ભવ્ય આયોજન થયા બાદ આજે, સોમવારે શહેરની 500થી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થયું છે. સવા 3 કિમી લાંબી આ વિસર્જન યાત્રા

By Gujaratnow
જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

જે.કે. ચોક કા રાજાની સફેદ ઉંદર કરે છે પ્રદક્ષિણા

રાજકોટ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. યુનિવર્સિટી રોડ ઉપર આવેલા જે.કે. ચોક કા રાજા ખાતે મહેલની થીમ સાથે સૌરાષ્ટ્

By Gujaratnow
રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

રાજીનામાના 42 દિવસ પછી ધનખરે ઉપરાષ્ટ્રપતિ નિવાસસ્થાન છોડ્યું

પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર હવે દક્ષિણ દિલ્હીના છતરપુર વિસ્તારમાં અભય ચૌટાલાના ફાર્મહાઉસમાં રહેશે. સોમવારે સાંજે 6 વાગ્યે, તેમણે રાજીનામા

By Gujaratnow
સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

સોનું ₹2,404 વધીને ₹1.05 લાખની ઓલ ટાઈમ હાઈએ પહોંચ્યું

1 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ તેના ઓલ ટાઈમ હાઈ સ્તરે પહોંચી ગયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, આજે સોનુ

By Gujaratnow