રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોનું રૂ.20 લાખનું ફુલેકું

રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોનું રૂ.20 લાખનું ફુલેકું

રાજકોટમાં વધુ એક મંડળીના સંચાલકોએ 20 રોકાણકારોને 20 લાખનો ચુનો લગાવી દીધાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.લીપભાઇની ફરિયાદ મુજબ દસ વર્ષ પહેલા ઉપરોકત બંનેની સ્વામિનારાયણ મંદિરે મુલાકાત થઇ હતી. તેઓ અક્ષરનિધી શરાફી મંડળી ચલાવતા હોવાનું અને તમે નિવૃત છો તો અમારી મંડળીમાં રોકાણ કરો, તમને સારૂ વળતર મળશે તેમ કહી ઓફિસે રૂબરૂ મળવા બોલાવ્યા હતા. જેથી 2017માં પોતાના ઉપરાંત પત્નિ, પુત્રીના નામે જુદી જુદી યોજનાઓમાં કુલ આઠ લાખનું રોકાણ કર્યુ હતુ. દરમિયાન કેટલી યોજનાઓમાં મુદત પાકી ગઇ હોય રૂપિયા લેવા ગયો હતો.

ત્યારે થોડા દિવસોમાં ચૂકવી આપવાની વાત કરી હતી. આમ અનેક વખત બંને ભાઇઓએ ધક્કા ખવડાવ્યા હતા. બાદમાં બંનેએ અમારી મંડળી નુકસાનીમાં ચાલતી હોવાનું તેમ છતા તમે ચિંતા ન કરો રૂપિયા તમને ચૂકવી આપશુંનું કહ્યુ હતુ. ત્યારે 2020માં મંડળીની ઓફિસે જતા ત્યાં અલીગઢી તાળુ જોવા મળ્યું હતુ. થોડા સમય બાદ રાજેશને ફોન કરતા તેને અમારી મંડળી સાવ ડૂબી ગઇ છે, અમારે 5થી 6 કરોડનું દેણુ થઇ ગયું છે. છતા તમારા રૂપિયા અમે તમને ચૂકવી આપશુંનું કહી રૂ.2.35 લાખની રકમના બે ચેક આપ્યા હતા.

પરંતુ બંને ચેક રિટર્ન થયા હતા. આ અંગે તેને વાત કરતા બંને ભાઇઓ ફરી એક વખત તમને નાણા ચૂકવી આપીશુંનું રટણ રટયું હતુ. આમ બંને ભાઇઓ વાયદા આપતા રહેતા હોય તપાસ કરતા બંનેએ વિનોદભાઇ દેવજીભાઇ સોલંકીના 1 લાખ, અશ્વિનભાઇ બાબુભાઇ ઉનડકટના દોઢ લાખ પણ ચાંઉ કરી ગયાનું જાણવા મળ્યું હતુ. અંતે બંને સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદને પગલે ભક્તિનગર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.સરવૈયાએ ગુનો નોંધી મંડળીના મેનેજિંગ ડિરેકટર હરેશ ચાવડાને ઝડપી લઇ ધરપકડ કરી છે. જયારે મંડળીના ચેરમેનને પકડવા તેમજ વિશેષ પુછપરછ કરવા હરેશ ચાવડાને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા અદાલતે આગામી તા.7 સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

Read more

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

ધર્મ-નેપોટિઝમને લઈ હંમેશાં ટ્રોલ્સના નિશાને રહી

બોલિવૂડના દિગ્ગજ એક્ટર સૈફ અલી ખાન અને એક્ટ્રેસ અમૃતા સિંહની દીકરી સારા અલી ખાને પોતાની મહેનત, સમર્પણ અને પ્રતિભાથી ઈન્ડસ્ટ્રીમાં પોતાનુ

By Gujaratnow
ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

ચૂંટણીપંચ ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ

રાજકોટનાં વિરાણી ચોકમાં આજે (12 ઓગસ્ટ) NSUI અને કોંગ્રેસનાં આગેવાનો દ્વારા લોકશાહી બચાવવા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસનાં આગેવાનોએ વિવિ

By Gujaratnow
અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

અનિરુદ્ધસિંહના પંપ પર ફાયરિંગ કરાવનાર હાર્દિકસિંહને દોરડાથી બાંધ્યો

મદુરાઈના એક બારમાં હાર્દિકસિંહ જાડેજા નામનો શખ્સ બેઠો હતો. જો કે આ સમયે તેના મનમાં ઝડપાઈ જવાનો ડર હતો. જેથી તે તુરંત જ ત્યાંથી ભાગીને કેરળના કો

By Gujaratnow
વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

વધુ બાળકો પેદા કરવાના નિવેદન બાદ આર.પી.પટેલ હોસ્પિટલમાં

ગઈકાલે (10 ઓગસ્ટ,2025) નખત્રણામાં કચ્છ કડવા પાટીદાર સમાજના કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી.પટેલે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે

By Gujaratnow